બીઆરટીએસ સત્તાવાળાઓએ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતોને રોકવા માટે આરએફઆઇટી ટેક સંચાલિત ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 15 બસસ્ટેશન પર સ્વિંગ ગેટ લાગી ચૂકેલા હોઈ સોમવારથી બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો માટે નો-એન્ટ્રી થશે.
બીઆરટીએસ સત્તાવાળાઓનો નિર્ણય
બીઆરટીએસ કોરિડોરમાં લાગશે ઓટોમેટિક સ્વિંગ ગેટ
રૂ. 6 કરોડનો સ્વિંગ ગેટ પ્રોજેક્ટ તૈયાર
ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસનાં ઇમર્જન્સી વાહનોને બીઆરટીએસ કોરિડોરમાંથી નિર્વિઘ્ને પસાર થવા માટે RFID ટેગ મેળવી લેવાની સૂચના અપાઈ છે. ગુજરાત એસટી વિભાગ માટે પણ આ આરએફઆઇડી ટેગ ફરજિયાત કરાયા છે.
રૂ. 6 કરોડનો સ્વિંગ ગેટ પ્રોજેક્ટ તૈયાર
ઓટોમેટિક સ્વિંગ ગેટ પ્રોજેક્ટ હેઠળના પહેલા તબક્કામાં રાણીપથી ઝુંડાલ વચ્ચેના રૂટને આગામી સોમવારથી ઓપરેટ કરાશે, તંત્ર દ્વારા ટેકનોક્રેટ કંપનીને આશરે રૂ. 6 કરોડનો સ્વિંગ ગેટ પ્રોજેક્ટ અપાયો છે.
2020 ના અંત સુધીમાં તમામ સ્ટેશને લાગશે સ્વિંગ ગેટ
શહેરમાં બીઆરટીએસનાં કુલ 153 બસ સ્ટેશન હોઈ આગામી જાન્યુઆરી, 2020 ના અંત સુધીમાં તમામે તમામ 153 બસ સ્ટેશનને સ્વિંગ ગેટથી આવરી લેવાશે. કુલ 15 બસસ્ટેશન પર કુલ 25 સ્ટિંગ ગેટ લાગી ગયા છે.