બોલીવૂડના લોકો માત્ર કોરોના વાયરસથી સંક્રમિત નથી થતા પરંતુ તેમનો જીવ પણ જતો રહે ચે. આ સિવાય લાંબા સમયથી ચાલી રહેલા લૉકડાઉનના કારણે કરોડો અરબોનું નુકસાન પણ થયુ છે. સૌથી વધારે માર દાડી મજૂરોને થયુ છે તેના માટે સુપરસ્ટાર સલમાન ખાન સામે આવ્યો છે.
સલમાન ખાન પહેલા જ કોવિડથી ઝઝૂમી રહ્યાં ફ્રંટલાઇન વર્કર્સ માટે જમવાનુ આપી રહ્યા છે. હવે તેમણે નિર્ણય કર્યો છે કે તે બોલીવૂડમાં કામ કરતા કુલ 25 હજાર વર્કર્સને 1500 રૂપિયા આપશે. આ વર્કર્સમાં ટેક્નીશન, મેક અપ આર્ટિસ્ટ, સ્ટંટમેન અને સ્પોટબોય સામેલ થશે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને ઇંપ્લોઇઝના પ્રેસિડેન્ટ બીએન તિવારીએ આ વાતને કન્ફર્મ કરી છે.
તિવારીએ કહ્યું કે, અમે સલમાન ખાનને જરૂરિયાતમંદ લોકોની એક લિસ્ટ મોકલી છે તે હિસાબે રકમ જમા કરવા માટે સહમત થઇ હયા છે. તિવારીએ કહ્યું કે 30 હજાર સિનીયર સિટીઝન વર્કર્સની મમદ યશરાજ ફિલ્મે કરવાનો નિર્ણય લીધો છે. યશરાજ આવી વર્કર ફેમિલીને 5 હજાર રૂપિયા અને રાશનની મદદ કરશે.
તમને જણાવી દઇએ કે સલમાન ખાને એક દિવસ પહેલા જ ઘોષણા કરી હતી કે તેની આવનારી ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇથી થનારી કમાણીથી વેન્ટીલેટર અને ઓક્સિજન સિલીન્ડરનું દાન કરશે. ગયા વર્ષે લૉકડાઉન દરમિયાાન સલમાન ખાને બોલીવૂડના મજૂરોને 3 હજાર રૂપિયાની મદદ કરી હતી.