નાંદીસણ ગામના બે શખ્સોએ વરઘોડો કાઢવા અને સાફો બાંધવાને લઇ બબાલ કરી હતી. જેમાં ઘોડા પર બેઠેલી કન્યાને નીચે ઉતારી ઘર સુધી ચાલતી જવા મજબૂર કરી હતી.
અરવલ્લીના માડોસા તાલુકામાં દલિત યુવતીને વરઘોડા પરથી નીચે ઉતારવાની ઘટનામાં અટકાયત થઈ છે. નાંદીસણ ગામમાં યુવતીના ભાઇએ ઘોડા પર બેસી સાફો બાંધતા બબાલ થઈ હતી. નાંદીસણ ગામના બે શખ્સોએ વરઘોડો કાઢવા અને સાફો બાંધવાને લઇ બબાલ કરી હતી. જેમાં ઘોડા પર બેઠેલી કન્યાને નીચે ઉતારી ઘર સુધી ચાલતી જવા મજબૂર કરી હતી.
યુવતીના માતાનું નિવેદન
યુવતીના માતાએ સમગ્ર ઘટના અંગે કહ્યું કે, મારા ઘરે લગ્ન હોવાથી અમે લાઈટ ગોઠવવાની હતી. જેને જાણીને જયેન્દ્રસિંહે લાઈટ પણ આપી નહીં. જે બાદ બીજા દિવસે અમે ગામમાં વરઘોડો કાઢ્યો હતો. ત્યારે જયેન્દ્રસિંહ અને તેનો પુત્ર કાર લઈને વરઘોડો રોક્યો હતો. જ્યાં તેણે મારા પુત્રને બોલાવ્યો હતો. અને નીચી જાતીનો હોવાનું કહી પાઘડી કેમ પહેરી છે, પાઘડી ઉતારી દે, મારા પગ પાસે મુકી દે. મારા બાબાએ પાઘડી ઉતારવાનો વિરોધ કર્યો હતો. જે બાદ સમગ્ર વિવાદ સર્જાયો હતો.
પોલીસનું સમગ્ર ઘટના પર નિવેદન
નાંદિસણ ગામમાં જ્યારે પોતાની બહેનના લગ્નમાં વરઘોડો કાઢવામાં આવ્યો અને ભાઈએ સાફો પહેર્યો ત્યારે, આ ગામના જ રહીશ જયેન્દ્રસિંહ ચૌહાણ અને તેનો પુત્ર ધર્મરાજસિંહ ત્યાં પહોંચ્યા હતા. તેણે યુવતીના પિતાને કહ્યું કે, તમે ગામમાં વરઘોડો કેમ કાઢ્યો અને સાફા કેમ પહેર્યા છે. આવું કહીને વરઘોડો રોકાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સતત પોલીસ પેટ્રોલિંગ ચાલું છે.
પાટણના કમલીવાડા ગામમાં પણ ગઈકાલે શરમજનક બની હતી. જ્યાં દલિત સમાજના એક યુવકના વરઘોડામાં અન્ય ઉચ્ચ સમાજના લોકોએ પથ્થર મારો કર્યો. લોકોએ પોલીસને બોલાવી તો પોલીસ પણ વરઘોડો નિકાળનારને જ કાયદાના પાઠ ભણાવવા બેસી ગઈ હતી.