બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દહેગામના જૂના પહાડીયા ગામ વેચવાના કેસમાં એક્શન, 3 આરોપીઓ LCBના જાપ્તામાં
Last Updated: 07:11 PM, 17 July 2024
ગાંધીનગર જિલ્લાના જૂના પહાડીયા ગામ વેચી દેવા મામલે દલાલ અને ખરીદનારને પોલીસે ઝડપી પાડ્યા છે.આ અંગે ગાંધીનગર LCB એ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અલ્પેશ હીરપરા, મયુર હીરપરા તથા ધર્મેશ વસાવાની LCBએ ધરપકડ કરી છે.અગાઉ પણ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ગાંધીનગરના દહેગામના જૂના પહાડીયા ગામ વેચવાના કાવતરાના મામલે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ગામ વેચી દેવા મામલે દલાલ અને ખરીદનારને પોલીસે દબોચ્યા છે. ગાંધીનગર LCBએ 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અલ્પેશ હીરપરા,મયુર હીરપરા અને ધર્મેશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
2 કરોડમાં કરાયો હતો જમીનનો સોદો
ADVERTISEMENT
દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વસેલુ છે એ જમીનના વારસદારો દ્વારા ગામજનોની જાણ બહાર અન્યને વેચી દેવામાં આવી છે. પોલીસે સાત જેટલા વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. જો કે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરાયો હોવાથી તકરારી દાખલ કરાઈ છે. ગાંધીનગર એલસીબી દ્વારા બે આરોપી વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની અગાઉ ધરપકડ કરાઈ હતી. આ બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. આ જમીનનો સોદો રૂ. બે કરોડમાં કરાયો હતો, જે પૈકી વારસદારોને રૂ. 50 લાખ મળી ચૂક્યા હતા.
દહેગામ તાલુકાનાં પહાડીયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં સબરજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાનગી સર્વે નંબર પર લોકો સ્ટેમ્પ પેપર પર જૂના લખાણ કરી મકાનો બાંધી 40 વર્ષ કરતા વધુ સમયથી રહે છે. રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી કરવામાં આવી નથી. અને આ વિસ્તાર જુના પહાડીયા ગામ તરીકે ઓળખાય છે. રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકનાં નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાનાં ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે. જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
ગ્રામજનોએ શું આક્ષેપ લગાવ્યા?
રાજ્યમાં એક આખુ ગામ વેચાઈ ગયું છે. આ સમગ્ર બાબતે ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા હતા કે, દહેગામ તાલુકાનાં જૂના પહાડિયા ગામમાં સર્વે નંબર 142 માં ગ્રામજનો વસવાટ કરે છે.
આ સર્વે નંબર વાળી જમીન ગામ લોકોની જાણ બહાર વેચી દેવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
આ વેચાયેલી જગ્યા પર 80 થી વધુ મકાન, પાણીની ટાંકી, પમ્પ, રૂમ, બે બોર, આરસીસી રોડ, ગટર લાઈન, ગેસ લાઈન, પાણીની લાઈન તેમજ 4 મંદિર તમામ વેચાઈ ગયા છે. આ જગ્યા પર છેલ્લા 50 વર્ષથી લોકો પોતાનાં મકાન બાંધીને વસવાટ કરે છે. 7 વીધા જેટલી જમીન પર રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
50 વર્ષ પહેલા ભીખાજી સોમાજી ઝાલા નામનાં વ્યક્તિનાં નામે જમીન હતી
જૂના પહાડિયા ગામનાં દસ્તાવેજનાં ઈતિહાસ પર એક નજર કરીએ તો 50 વર્ષ પહેલા ભીખાજી સોમાજી ઝાલા નામનાં વ્યક્તિનાં નામે જમીન હતી. જે બાદ ગામનાં વડવાઓએ રામાજી પૂંજાજી અને આમલસિંહ રાયસિંહ પાસેથી દસ્તાવેજ કરાવ્યો હતો. 1989 માં 1 એકર 20 ગૂંઠાનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે બાદ બીજો દસ્તાવેજ વર્ષ 2003 માં 40 ગૂંઠાનો કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામજનો માટે જમીનનાં દસ્તાવેજ કરી જમીન લખી આપી હતી. હાલ જૂના પહાડિયા ગામે 600 લોકો રહે છે. ત્યારે અચાનક 7/12 માં રહેલા વારસાઈ જગ્યા અને જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો.
પકડાયેલ આરોપી
(૧) અલ્પેશભાઇ લાલજીભાઇ હિરપરા રહે, લાતી પ્લોટ, શેરી-૫, જસદણ, જી. રાજકોટ
(૨) મયુરભાઇ હસમુખભાઇ હિરપરા રહે, એ-૩૦૧, શ્રીધર ગ્રીન ફ્લેટ, દેવસ્ય સ્કુલની સામે, અમદાવાદ
(૩) ધર્મેશકુમાર ચંદ્રકાન્તભાઇ વસાવા રહે, જેતલપુર અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.