બ્રેક્ઝિટ પર સંસદમાં મળેલી હાર બાદ વડાપ્રધાન થેરેસા મે માટે રાહતની ખબર છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં થેરેસા મેનો વિજય થયો છે.
એક મળતા અહેવાલ મુજબ વિપક્ષ દ્વારા લેબર પાર્ટીના અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 306 મત પડ્યા જ્યારે વિરોધમાં 325 મત પડ્યા છે. આમ હાલમાં થેરેસા મેની સરકાર પર છવાયેલા સંકટના વાદળ હટી ગયા છે અને હાલ પુરતો તેમની સરકાર પરનો ખતરો દૂર થયો છે.
જો કે યૂરોપીય સંઘથી બ્રિટેનને બહાર રાખવાના તેમના પ્રસ્તાવનું હવે શું થશે તેનું ચિત્ર હજી સ્પષ્ટ થયું નથી. યૂરોપિયન યૂનિયન સંઘથી બ્રિટેનને અલગ રાખવાના વડાપ્રધાન થેરેસા મેના પ્રસ્તાવ પર મંગળવારે મતદાન યોજાયું હતું.
બ્રિટિશ સંસદ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં થેરેસા મેની સમજૂતિના પક્ષમાં 202 મત અને વિરોધમાં 423 મત પડ્યા હતા. એટલું જ નહી તેમના પક્ષના 118 સાંસદોએ પણ તેમના પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો.
ત્યારબાદ વિપક્ષી લેબર પાર્ટીએ થેરેસા મે સરકાર વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યો હતો જેના પર ભારતીય સમયાનુસાર બુધવારે મોડી રાત્રે મતદાન યોજાયું હતું.
આ મતદાનમાં સમર્થનમાં 325 સાંસદઓ અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું જ્યારે 306 સાંસદોએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું. આમ થેરેસા મે નો વિજય થયો જ્યારે તેમની સરકાર પરના હાલ પૂરતાં સંકટના વાદળો હટી ગયા છે.