સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલનાં પક્ષમાં સહમત કરવામાં નાકામ રહ્યાં બાદ બ્રિટેનની પ્રધાનમંત્રી ટેરેસા મે શુક્રવારનાં રોજ ખૂબ જ ભાવુક સંબોધનમાં જાહેરાત કરી દીધી કે તે 7 જૂનનાં રોજ કંઝરવેટિવ નેતાનું પદ છોડી દેશે.
સાંસદો પોતાની બ્રેક્ઝિટ ડીલનાં પક્ષમાં સહમત કરવામાં નાકામ રહ્યા બાદ બ્રિટેનની પ્રધાનમંત્રી ટેરેસામાં શુક્રવારનાં રોજ ખૂબ જ ભાવુક સંબોધનમાં જાહેરાત કરી દીધી કે તે 7 જૂનનાં રોજ કંઝરવેટિવ નેતાનું પદ છોડશે.
ન્યૂ દિલ્હીઃ સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલનાં પક્ષમાં સહમત કરવામાં નાકામ રહ્યાં બાદ બ્રિટેનની પ્રધાનમંત્રી ટેરેસા મે શુક્રવારનાં રોજ ખૂબ જ ભાવુક સંબોધનમાં જાહેરાત કરી દીધી કે તે 7 જૂનનાં રોજ કંઝરવેટિવ નેતાનું પદ છોડી દેશે. ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાનાં ઓફિશીયલ આવાસ બહાર રૂંધાતા ગળે નિવેદન આપતા ટેરેસા મેએ કહ્યું કે, 'આ મારા માટે ખૂબ જ દુઃખદ વાત છે અને હંમેશા દુઃખનો મુદ્દો રહેશે કે હું બ્રેક્ઝિટ ડિલીવર નહીં કરી શકું.'
આ રાજીનામાથી ઔપચારિક રૂપથી નવા નેતૃત્વની હોડ શરૂઆતનાં સંકેત મળ્યાં છે અને આ દરમ્યાન એટલે કે નવા નેતા પસંદ કરવા સુધી ટેરેસા મે કાર્યવાહક પ્રધાનમંત્રી બની રહેશે. ટેરેસા મેએ કહ્યું કે, 'હું શુક્રવાર, 7 જૂનનાં કંઝર્વેટિવ તથા યૂનિયનિસ્ટ પાર્ટીની નેતાનાં પદથી રાજીનામુ આપી દઇશ." તેઓએ કહ્યું કે, નવું નેતૃત્વ પસંદ કરવાની પ્રક્રિયા સંભવતઃ તેનાંથી આગામી સપ્તાહ શરૂ થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી નેતા પસંદ કરવામાં અનેક સપ્તાહ લાગી જાય છે.