બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર મામલાને લઇને લંડનમાં ભારત વિરુદ્ધ માર્ચ નીકાળવાના કાર્યક્રમ માટે બિલકુલ મંજુરી આપવામાં નહીં આવે. જોનસને બુધવારે ભાર આપતા કહ્યું કે રવિવારે દિવાળીના દિવસે કથિત કાશ્મીર વિરોધના સંદર્ભમાં હિંસા અને ધમકી પૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.
બોરિસ જોનસને કહ્યું, ભારત વિરુદ્ધ માર્ચ માટે મંજુરી આપવામાં નહીં આવે
દિવાળીના દિવસે કથિત કાશ્મીર વિરોધના સંદર્ભમાં હિંસા અને ધમકી અસ્વીકાર્ય
નવી દિલ્હીએ બ્રિટિશ અધિકારીઓ સાથે આ મુદ્દાને ઉઠાવ્યો
ભારતીય સમુદાયે 15 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે ભારતીય ઉચ્ચાયોગની બહાર બ્રિટિશ કાશ્મીરીઓ અને અન્ય તત્વો દ્વારા આ પ્રકારના વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસાને ધ્યાને લેતા બ્રિટેન સરકાર અને લંડનના મેયર સાદિક ખાન સાથે વાતચીત કરી હતી.
દિવસભર ચાલનારી માર્ચ ડાઉનિંગ સ્ટ્રીટની પાસે રિચમન્ડ ટેરેસથી લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ બહાર સમાપ્ત થશે. લગભગ 10,000 લોકોના આ પ્રદર્શનમાં સામેલ થવાની આશંકા છે. નવી દિલ્હીએ બ્રિટિશ અધિકારીઓ સાથે આ મુદ્દાને ઉઠાવ્યો.
નોંધનીય છે કે લંડનમાં ભારત વિરુદ્ધ પગપાળા માર્ચ નીકાળવાના કાર્યક્રમ પર પાકિસ્તાની મૂળના સાદિક ખાને આયોજકો અને તેમા ભાગ લેનારા લોકોને આ રેલીને રદ્દ કરવા કહ્યું છે. એમણે કહ્યું છે કે આ વિરોધ રેલી લંડનમાં લોકોને વહેંચી શકે છે.