બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક પ્રથમ ભાષણમાં કહ્યું કે, હું મારા દેશને શબ્દોથી નહીં કામોથી જોડીશ.
બ્રિટનના PM ઋષિ સુનકનું પ્રથમ ભાષણ
"હું મારા દેશને શબ્દોથી નહીં કામોથી જોડીશ"
"આર્થિક સ્થિરતાના એજન્ડાને કેન્દ્રમાં રાખીશ"
ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. સુનક મંગળવારે કિંગ ચાર્લ્સ તૃતીય બ્રિટનના પ્રધાનમંત્રી નિયુક્ત કર્યાં છે. 42 વર્ષીય સુનક બ્રિટનના પ્રથમ મુળ એશિયાઈ અને હિન્દુ પ્રધાનમંત્રી બન્યા છે. ઋષિ સુનકે તેમના પ્રથમ ભાષણ પાંચ મોટી વાતો કરી છે.
I will unite our country, not with words, but with action.
I will work day in and day out to deliver for you.
"સપ્લાય ચેનો અસ્થિર"
સુનકે કહ્યું કે અત્યારે આપણો દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. કોવિડની મહામારીની સમસ્યાઓ હજુ પણ ચાલુ છે. યુક્રેન અને પુતિનના યુદ્ધથી સમગ્ર વિશ્વમાં ઊર્જા બજારો અને સપ્લાય ચેનો અસ્થિર થઈ ગઈ છે.
"લિઝ ટ્રુસ કેટલીક ભૂલો કરી"
ઋષિ સુનકે જણાવ્યું હતું કે, લિઝ ટ્રુસ ઇચ્છતી હતી કે આ દેશનો વિકાસ થાય અને સુધારો થાય છે. તે ખોટું ન હતું. તેમના રાજીનામાનું એક જુદુ જ કારણ છે અને મેં તેમના બદલાવવાની બાબતની પ્રશંસા કરી. પરંતુ કેટલીક ભૂલો કરવામાં આવી હતી, જે ખરાબ ઇરાદાઓમાંથી નહોતી કરવામાં આવી. પરંતુ તેમ છતાં ભૂલો થઈ હતી.
"ટ્રસની ભૂલો સુધારીશ"
તેમણે જણાવ્યું હતું કે, મને પાર્ટીના નેતાના રૂપથી યોગ્ય સમજ્યો તેમજ તમારો પ્રધાનમંત્રી યોગ્ય ગણ્યો. ટ્રસની ભૂલો સુધારીશ તેમજ બીજા કામ તુરંત શરૂ થશે.
"આર્થિક સ્થિરતાને કેન્દ્રમાં રાખીશ"
હું આર્થિક સ્થિરતા અને વિશ્વાસ પર આ સરકારમાં એજન્ડાને કેન્દ્રમાં રાખીશ. તમે જોયું છે કે કોવિડ દરમિયાન, મેં યોજનાઓ સાથે લોકો અને વ્યવસાયોને સુરક્ષિત કરવા માટે મારાથી બનતું બધું કર્યું છે."
"શબ્દોથી નહી કામોથી જોડીશ"
હું મારા દેશને શબ્દોથી નહીં કામોથી જોડીશ. હું આઉટપુટ આપવા માટે દિવસ-રાત કામ કરીશ. તમે વિશ્વાસ કર્યો છે તેના પર ખરો ઉતરીશ"