કોરોનાની બીજી લહેરના કારણે દેશની હેલ્થકેર સિસ્ટમ ઉપર ભયંકર દબાણ ઊભું થયું છે, અનેક રાજ્યો અને શહેરોની હોસ્પિટલોમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે
મોદી સરકારની વિનંતી પર મળી રહ્યો છે વૈશ્વિક સપોર્ટ
UK,સાઉદી અરબ પણ મોકલી રહ્યા છે મદદ
એકીસાથે ઓક્સિજન સંકટ, દવા સંકટ, હોસ્પિટલોમાં બેડની ઉણપ જેવી સ્થિતિમાં ફસાયેલ ભારતને હવે મદદ માટે વૈશ્વિક સહયોગ સાંપડી રહ્યો છે, એકબાજુ આરબ દેશોમાં સૌથી પ્રમુખ ગણાતા સાઉદી આરબ તરફથી ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો તાત્કાલિક મદદનાં રૂપે મોકલી રવાના કરી દેવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુ જર્મની, ફ્રાંસ, ચીન,રશિયા એનએ યુરોપિયન યુનિયન પછી હવે કોરોના પર લગભગ કંટ્રોલ મેળવી ચૂકેલા બ્રિટને પણ ભારતને મદદની ઓફર કરી છે.
વધુ રાહત સામગ્રી ઘણા તબક્કાઓમાં મોકલાશે
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન દ્વારા રાહતનું પ્રથમ પેકેજ મંગળવાર સુધીમાં દિલ્હી પહોંચશે. આ પછી, રાહત સામગ્રી વધુ ઘણા તબક્કાઓમાં મોકલવામાં આવશે.
બ્રિટન ભારતને કોરોના વાયરસની સંકટની મદદ રૂપે સામે જીવન બચાવ ઉપકરણ મોકલશે. તેમણે કોરોના સાથેના યુદ્ધમાં તમામ શક્ય મદદની ખાતરી આપી છે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે રવિવારે રાત્રે ભારત માટે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સેન્ટર્સ રવાના કરવામાં આવ્યા છે. ભારતની વિનંતી બાદ બ્રિટને સહાયનું આ પગલું ભર્યું છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન દ્વારા રાહતનું પ્રથમ પેકેજ મંગળવાર સુધીમાં દિલ્હી પહોંચશે. આ પછી, રાહત સામગ્રી વધુ ઘણા તબક્કામાં આવશે.
સાઉદીએ મોકલ્યું 80 મેટ્રિક ટન ઓક્સિજન
બ્રિટને જણાવ્યું હતું કે સેંકડો ઓક્સિજન કન્ટેનર્સ , વેન્ટિલેટર ભારત મોકલવામાં આવ્યા છે. 9 કન્ટેનરમાં લગભગ 600 ઉપકરણો છે, જેમાં 495 ઓક્સિજન કન્ટેનર્સ, 120 નોન- ઇન્વેસીવ-વેન્ટિલેટર અને 20 મેન્યુઅલ વેન્ટિલેટર છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 27 લાખને વટાવી ગઈ છે અને મૃતકોની સંખ્યા 1.9 લાખ પર પહોંચી ગઈ છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને એક નિવેદનમાં જણાવ્યું છે કે, "બ્રિટનથી ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સ, વેન્ટિલેટર સહિતના સેંકડો મહત્વપૂર્ણ ઉપકરણો રવાના કરવામાં આવ્યા છે." આ ખતરનાક વાયરસથી રોકવાના ભારતના પ્રયત્નોને મદદ કરશે.
મહત્વનું છે કે અદાણી ગ્રુપ અને લીંડે કંપનીના સહયોગથી 80 મેટ્રિક ટન ઓક્સિજનને કન્ટેનર દ્વારા શિપમેન્ટ કરાઇ રહ્યા છે, સાઉદી આરબની આ મદદ પર ત્યાંની રાજધાની રિયાધ સ્થિત ભારતીય મિશને ટ્વિટ કરીને ત્યાંનાં આરોગ્ય મંત્રાલયનો આભાર માન્યો હતો.