યુક્રેન પર હુમલા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની નિંદાવાળા પ્રસ્તાવથી ભારતે જે રીતે અંતર બનાવી રાખ્યું તેનાથી ભૂરિયા અંગ્રેજોને ભારે મરચા લાગ્યા છે.
રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર ભૂરિયા ભડક્યા
અંગ્રેજોને લાગ્યા આ વાતના મરચાં
ભારતના નાગરિકોએ નાની યાદ અપાવી દીધી
યુક્રેન પર હુમલા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની નિંદાવાળા પ્રસ્તાવથી ભારતે જે રીતે અંતર બનાવી રાખ્યું તેનાથી ભૂરિયા અંગ્રેજોને ભારે મરચા લાગ્યા છે. ભારત અને પાકિસ્તાન સહિત 35 દેશોએ આ બાબત પ્રસ્તાવ પર વોટિંગમાં ભાગ લીધો નહોતો. તેના પર જાણીતા ન્યૂઝ એન્કર એલેસ્ટેયર સ્ટીવર્ટે ખાસ કરીને ભારત પાકિસ્તાન પર ટાર્ગેટ કર્યો હતો. બ્રિટેનમાં તેમને મદદ માટે એક રાતી પાઈ પણ નહીં આપવાની અપીલ કરી છે. તેમના આ ટ્વિટને ળઈને ભારતીયોએ તેને પોતાની ઔકાત બતાવી દીધી છે. બ્રિટેનના લૂંટફાટના ઈતિહાસને યાદ અપાવતા મોં બંધ કરાવી દીધું હતું.
Pretty predictable but India and Pakistan should hang their heads in shame and, henceforth, receive not a penny piece in aid from the UK. https://t.co/P2nHlo0M42
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બુધવારે રશિયાની નિંદા કરનારો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેમાં 141 દેશોએ યુક્રેનના પક્ષમાં વોટ કર્યો હતો. ભારત, પાકિસ્તાન અને ચીન સહિત 35 દેશોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. 5 દેશોએ ખુલ્લીને રશિયાનું સમર્થન કર્યું હતું.
Pretty surprising from a country(UK)who looted,cheated,drained Indian for 200 odd years;The colonial past is the black chapters in UK history;first teach that in your school curriculum,India’s head is always held high! @ARanganathan72
તેના પર જીબી ન્યૂઝના એન્કર એલેસ્ટેયર સ્ટીવર્ટે એક ટ્વિટ કર્યું હતું. તેણે વોટિંગને લઈને ચાર્ટ શેર કરતા લખ્યું કે, આનું અનુમાન લગાવી શકાય છે, પણ ભારત અને પાકિસ્તાનને શરમથી માથુ નિચે નમાવી લેવું જોઈએ. હવેથી બ્રિટેન તેમને એક પૈસાની પણ મદદ નહીં કરે.
1 We don't receive a penny in aid from UK. We're the bigger economy, remember?
2 We don't need your permission to hold our heads high. We've earned ourselves the right to do it
3 Let's talk of reparations for the loot & exploitation of our ancient culture
£ 45 Trillion would do
— Devi Prasad Rao 🇮🇳 (@DeviPrasadRao8) March 3, 2022
ભારતીયોએ બકબક બંધ કરાવી
એલેસ્ટેયરે આવું લખતાં જ તેમના પર આવી બન્યું હતું. પદ્મ પુરસ્કાર વિજેતા ડો. સંજીવ બગઈએ તેમના ટ્વિટમાં જવાબ આપતા લખ્યું છે કે, આશ્ચર્યની વાત છે કે, એક એવો દેશ (બ્રિટેન) જેણે 200 વર્ષ સુધી ભારતીયોને લૂટ્યા, તેમને છેતર્યા, જેમનું સામ્રાજ્યવાદનો કાળો ઈતિહાસ છે, તે બીજાને શિખામણ આપી રહ્યા છે. પહેલા આપ આપની શાળાઓના અભ્યાસક્રમમાં તેણે ભણાવો. ભારતનું માથુ ઉંચુ છે અને હંમેશા ઉંચુ જ રહેશે.
એક યુઝર્સે લખ્યું કે, ભારત એ જ દેશ છે, જ્યાંથી ચોરેલો દુનિયાનો સૌથી મોંઘો હીરાને બતાવવામાં આપની મહારાણી ગર્વ અનુભવે છે.
અમે ખુદ એક મોટી અર્થવ્યવસ્થા છીએ
તો વળી દેવી પ્રસાદ રાવ નામના એક ટ્વિટર યુઝર્સે લખ્યું કે, અમને બ્રિટેન પાસેથી રાતી પાઈની પણ મદદ નથી મળતી. અમે ખુદ એક મોટી અર્થવ્યવસ્થા છીએ. યાદ છે કે નહીં ? અમારે અમારુ માથુ ઉંચુ રાખવા માટે તમારી પરવાનગીની જરૂર નથી. અમે આવુ કરવાનો અધિકાર જાતે મેળવ્યો છે. અમારી પ્રાચિન સંસ્કૃતિ લૂટ અને શોષણ માટે શું ભરપાઈ કરવા માટે બ્રિટેન 45 ટ્રિલિયન પાઉન્ડ પાછા આપશે ?
સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝાએ લખ્યું કે, કોહિનૂર સાથે વર્ષો સુધી ભારતમાંથી લૂંટીને લઈ ગયેલી વસ્તુ ક્યારે પાછી આપો છો ?