બકિંધમ પેલેસના એક સ્ટાફમાં કથિત રીતે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાણી એલિઝાબેથ બીજાને સાવચેતીના ભાગ રુપે લંડન વાળા ઘરમાં રાખવામાં આવ્યા છે. મહારાણીને સાવચેતીના ભાગરુપે વિંડસર પેલેસમાં અમર્યાદિત સમય માટે મોકલવામાં આવ્યા છે. તેમજ તેમણે આગળના તમામ પણ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. જાણો મહારાણી કેટલા સુરક્ષિત છે.
મહારાણીને સાવચેતીના ભાગ રુપે વિંડસર મોકલવામાં આવ્યા
બંકિંધમ પેલેસમાં કોઈ ટિપ્પણી કરવાથી લોકોની મનાઈ
મહારાણીના સ્ટાફને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે
મહારાણીને સાવચેતીના ભાગ રુપે વિંડસર મોકલવામાં આવ્યા
બકિંધમ પેલેસના એક સ્ટાફ(રૉયલ એન્ડ શાહી સહયોગી)માં કથિત રીતે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે મહારાણી એલિઝાબેથ બીજા પોતાના લંડન વાળા ઘરમાં હતા. રિપોર્ટ આવતાની સાથે મહારાણીને સાવચેતીના ભાગરુપે વિંડસર કૈંસલમાં અમર્યાદિત સમય માટે મોકલવામાં આવ્યા છે. તેમજ તેમણે આગળના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. જોકે રિપોર્ટમાં મહારાણીની તબિયત સારી હોવાનું કહેવામાં આવ્યું છે.
મહારાણીના સ્ટાફને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે
બ્રિટનની મીડિયા રિપોર્ટો અનુસાર એ જાણવા નથી મળ્યુ કે મહેલમાં સ્ટાફ મહારાણીના કેટલો નજીક હતો. પરંતુ મહેલમાં જે-જેસહયોગીઓના સંપર્કમાં તે આવ્યો છે. તે તમામને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સમાચાર પત્રએ પોતાના રિપોર્ટમાં લખ્યુ છે કે મહારાણીને વિંડસર પેલેસમાં મોકલવામાં આવ્યા છે. તેમના સહયોગીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહેલમા 500 લોકોનો સ્ટાફ છે એટલા માટે એવું માનાઈ રહ્યું છે કે કોઈના કોઈ સ્ટેજ પર લોકો જરુર અસર હેઠળ આવ્યા હશે.
બંકિંધમ પેલેસમાં કોઈ ટિપ્પણી કરવાથી લોકોની મનાઈ
હજું સુધી સ્ટાફની ઓળખ છતી કરવામાં આવી નથી. તેમજ માનાઈ રહ્યું છે કે આ વ્યક્તિ ગત સપ્તાહની શરુઆતમાં સંક્રમિત જોવા મળ્યો હતો. બકિંઘમપેલેસે આ સમાચાર પર કોઈ પણ ટિપ્પણી કરવાની મનાઈ કરી દીધી હતી. જોકે કહ્યું હતું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતી રાખવામાં આવશે.
શહેરોને લોકડાઉન કરી દીધા છે
આ અઠવાડિયાની શરુઆતમાં મહારાણીએ એક નિવેદન જાહેર કર્યુ હતું કે, લોકોને લૉકડાઉન્ દરમિયાન લોકોને એકબીજાના સંપર્કમાં રહેવા નવી કોઈ તરકીબ શોધવી પડશે. આપણે ચોક્કસથી આ સમસ્યા સામે લડીને પાર ઉતરશું. ઉલ્લેખનીય છે કે બ્રિટનના પીએમ બોરિસ જૉનસને કોરોના સામે લડવા માટે સામાજિક ડિસ્ટન્સ રાખવા કહ્યું છે. તેમજ શહેરોને લોકડાઉન કરી દીધા છે.