ભાવનગરના તળાજા તાલુકાના મેથળા ગામમાં જૂન માસમાં ખેડૂતોની મહેનત રંગ લાવી છે. જૂન માસમાં અઢી મહિના સુધી જાત મહેનતથી ખેડૂતો અને લોકભાગીદારીથી બાંધેલા મેથળા બંધારામાં 500 MCFC પાણીનો સંગ્રહ થયો છે. જેના કારણે આ વિસ્તારના 10 જેટલા ગામની 1500 હેક્ટર જમીનને જીવનદાન મળ્યું છે.
ખેડૂતો પોતાના ખેતરમાં પિયત કરી રહ્યા છે. જ્યાં છ મહિના પહેલા બગડ નદી પર દરિયાના ખારા પાણી હતી. ત્યાં હવે વરસાદના પાણીનો સંગ્રહ થયો છે અને જ્યાં ખારોપટ હતો તે જમીન પર હવે હરિયાળી લહેરાઈ રહી છે. જેના કારણે ખેડૂતોએ હવે હિજરત નહીં કરવી પડે.
મહત્વનું છે કે મેથળા બંધારાની યોજના સરકારે 1985માં જાહેર કરી હતી અને ત્યાર બાદ ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરીને સરકારે આ કાર્ય લટકાવી રાખ્યું હતું. જેથી કંટાળેલા લોકોએ જાત મહેનતે મેથળા બંધારો બાંધ્યો હતો અને અઢી મહિના સુધી 10થી 12 ગામના લોકોએ જાત મહેનતે મેથળા બંધારો બાંધ્યો હતો. ત્યારે આ બંધારો બાંધવા મહેનતે કરેલી મહેનત હવે રંગ લાવી છે.
ખારાપટમાં ખેડૂતોએ મીઠા પાણીનો સંગ્રહ કરીને 1500 હેક્ટર જમીનમાં ખેતી શરૂ કરી છે અને આ બંધારો બાંધીને ખેડૂતોએ અન્ય ખેડૂતોને પણ એક નવી દિશા ચીંધી છે.