હિંદુઓમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. શિવની પૂજા આ સમયે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો તમે શિવજીને પ્રિય 8 ચીજો લઈ આવો.
માલામાલ થવું હોય તો શ્રાવણ મહિનામાં કરી લો આ કામ
ઘરે લઈ આવો આ 8માંથી 1 ચીજ
મળશે અપાર પુણ્ય
શ્રાવણના મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરાય છે. ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજાની સાથે વિવાહ સંબંધી સમસ્યામાં રાહત મળે છે. આ સાથે દર સોમવારે શિવલિંગ પર જળ, દૂધ, ધતૂરો, ભાંગ, બિલિપત્રને અર્પિત કરવાથી અનેક સંકટ દૂર થાય છે. ભગવાન શિવની આરાધના માટે શ્રાવણને સર્વોત્તમ માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર શ્રાવણના સોમવારે કેટલાક કામ કરી લેવાથી કે પછી ખાસ વસ્તુઓ ખરીદી લેવાથી ઘન ધાન્ય અને સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
ગંગાજળ
ગંગાજલને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સોમવારે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવાથી મનો વાંછિંત ફળની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથના અનુસાર સોમવારે ગંગાજળ લાવીને કિચનમાં રાખવાથી ભાગ્યોદય થઈ શકે છે.
રુદ્રાક્ષ
રુદ્રાક્ષને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે રુદ્રાક્ષની ખરીદી શુભ મનાય છે. તેને મુખ્ય રૂમમાં રાખવાથી વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે. આમ કરવાથી ઘરના ધન ધાન્યમાં વધારો થાય છે. પરિવારમાં સમ્માન મળવાની સાથે સંકટ પણ દૂર થાય છે. ઘરમાં પોઝિટિવ એનર્જી કાયમ બની રહે છે.
ભસ્મ
ભોલેનાથને ભસ્મ ખૂબ પ્રિય હોય છે. તેને મંદિરમાં રાખવાનું શુભ મનાય છે. શ્રાવણના મહિનામાં ભગવાન શિવની મૂર્તિની સાથે ભસ્મ રાખવાથી શિવજી ખુશ થાય છે. શિવલિંગ પર ભસ્મ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને સંકટનો પણ નાશ થાય છે. મનોકામના પૂરી થવાની સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
ચાંદીનું ત્રિશૂલ
ત્રિશૂલને હિંદુ ધર્મમાં પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે. માન્યતા અનુસાર સોમવારે ચાંદીનું ત્રિશૂળ ખરીદીને લાવવાથી અનેક પરેશાની દૂર થાય છે. ચાંદી સિવાય તાંબાનું ત્રિશૂળ પણ લાવી શકાય છે. તેને ડ્રોઈંગ રૂમમાં રાખી લેવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જા કાયમ રહે છે.
ડમરૂ
ભગવાન શિવનું પ્રિય વાદ્ય માનવામાં આવે છે. તેના અવાજથી નકારાત્મક શક્તિ દૂર ભાગે છે. માનસિક તણાવથી રાહત મળે છે અને સાથે મન પણ શાંત રહે છે.
ચાંદીનું કડું
ભગવાન ભોલેનાથ પોતાના પગમાં ચાંદીના કડા ધારણ કરે છે. શ્રાવણના સોમવારે ચાંદીના કડા ઘરે લાવવાથી શુભ યોગ બની શકે છે.
ચાંદીના બિલિપત્ર
બિલિપત્ર વિના શિવજીની પૂજા અધૂરી છે. માનવામાં આવે છે કે શ્રાવણમાં ચાંદીના બિલિપત્ર ભગવાન શિવને અર્પિત કરવાથી મનોકામના પૂરી થાય છે. આ સિવાય જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
નાગ નાગિનની જોડી
નાગ ભગવાન શિવના ગળાનું આભૂષણ છે. જ્યોતિષના અનુસાર શ્રાવણમાં તાંબાના નાગ નાગિનની જોડી ઘરે લાવવાનું શુભ માનવામાં આવે છે. તેને ઘરના દરવાજાના મુખ્ય દરવાજાની નીચે રાખવાથી અટકેલા કામ પૂરા થવા લાગે છે.