શ્રાવણના સોમવારે કરેલું વ્રત ફળદાયી માનવામાં આવે છે. જો તમે આ ખાસ દિવસે અહીં આપેલી ચીજમાંથી કોઈ 1 ચીજની ખીરીદ કરો છો તો તમને શિવજીના આર્શિવાદ મળે છે.
શ્રાવણના સોમવારે કરો આ વસ્તુઓની ખરીદી
ભગવાન શિવજી થશે અતિ પ્રસન્ન
બદલાઈ જશે તમારું ભાગ્ય અને વધશે સમૃદ્ધિ
શ્રાવણના સોમવારે ઘરે લઈ આવો ખાસ ચીજો
શિવજી દ્વારા ધારણ કરાયેલી કેટલીક પ્રિય ચીજોમાંની કોઈ એક પણ શ્રાવણના સોમવારે ઘરમાં લાવવામાં આવે છે તો તમારી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમને કામમાં સફળતા મળે છે.
ગંગાજળ
અનેક ઘરમાં પૂજા પાઠ માટે તેને રાખવામાં આવે છે.પણ શ્રાવણના સોમવારે તેને ઘરમાં લાવીને રસોઈમાં રાખવાથી સમૃદ્ધિ વધે છે અને તમારી પ્રગતિ વધે છે.
ભસ્મ
શિવજીને ભસ્મ પ્રિય હોય છે. તે હંમેશા તેને ધારણ કરે છે. શ્રાવણના સોમવારે શિવજીની મૂર્તિની સાથે ભસ્મ રાખવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે.
રુદ્રાક્ષ
રુદ્રાક્ષ ધારણ કરવાનુ ચમત્કારિક પરિણામ આપે છે. તેને શ્રાવણના સોમવારે ઘરમાં લાવવાથી અને ઘરના મોભીના રૂમમાં રાખવાથી પણ લાભ થાય છે. ઘરના સભ્યોના અનેક કામ પાર પડે છે. રુદ્રાક્ષ સકારાત્મક ઉર્જા આપે છે. આ ધન ધાન્ય, માન સમ્માન પણ વધારે છે.
તાંબા કે ચાંદીનું ત્રિશૂળ
શ્રાવણના સોમવારે ચાંદી કે તાંબાનું ત્રિશૂળ લાવીને ડ્રોઈંગ રૂમમાં રાખી લેવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ખતમ થાય છે.
ડમરુ
શ્રાવણના સોમવારે ઘરમાં ડમરુ લાવીને રાખો. આમ કરવાથી તમારી નેગેટિવ એનર્જી દૂર થશે અને કામમાં સફળતા મળશે. તેને બાળકોના રૂમમાં રાખી લેવાય તો તે વધારે શુભ માનવામાં આવે છે.
તાંબાના લોટમાં જળ ભરીને રાખો
શ્રાવણના સોમવારે આ ખાસ ઉપાય કરી લેવાથી ઘરના સભ્યોની વચ્ચે પ્રેમ વધે છે. આ માટે તાંબાના લોટામાં જળ ભરીને રાખો અને પરિવાર જ્યાં વધારે સમય વીતાવતો હોય ત્યાં તેને રાખી લો. થોડા દિવસના અંતરાલે આ પાણી બદલતા રહો. તમને જાતે જ પરિણામ જોવા મળશે.
ચાંદી કે તાંબાના નાગ
શ્રાવણના સોમવારે ચાંદી કે તાંબાના નાગ નાગિનની જોડીને ઘરના મુખ્ય દરવાજા નીચી દબાવી લો. તેનાથી તમારા રોકાયેલા કામ ફટાફટ થવા લાગશે.
ચાંદીના નંદી
ચાંદીના નંદીને ઘરમા રાખવાનું શુભ માનવામાં આવે છે. કોઈ પણ સોમવારે ચાંદીના નંદીની ખરીદી કરો અને તેને તિજોરીમાં એ જગ્યાએ રાખો જ્યા તમે રૂપિયા કે ઘરેણા રાખો છે. તેનાથી રૂપિયા આવવાના નવા રસ્તા બનશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.