સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુર બેઠક પરથી સપાના ઉમેદવારની તરફેણમાં જનસભાને સંબોધી અને કેશવ પ્રસાદ મૌર્યને ખુલ્લી ઑફર આપી અને પછી......
ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું
અખિલેશ યાદવે કેશવ પ્રસાદ મૌર્યને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી
ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ગુરુવારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુર બેઠક પરથી સપાના ઉમેદવારની તરફેણમાં જનસભાને સંબોધી હતી. આ દરમ્યાન યોગી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પર કટાક્ષ કરતાં અખિલેશ યાદવે તેમને સપાના સમર્થનથી મુખ્યપ્રધાન બનાવવાની ઓફર પણ કરી હતી. આ સાથે જ તેમણે યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ગરીબો અને ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. આ તરફ હવે અખિલેશ યાદવે યોગી સરકારના બંને ડેપ્યુટી સીએમને બળવો કરવાની સલાહ આપી ત્યારે કેશવ પ્રસાદ મૌર્ય ગુસ્સે થઈ ગયા. શુક્રવારે તેમણે અખિલેશ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અખિલેશ યાદવ ન તો મુખ્યમંત્રી બની શકશે અને ન તો બનાવી શકશે. તેમણે એમ પણ કહ્યું કે સપા વડાએ તેમનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.
શું કહ્યું હતું અખિલેશ યાદવે ?
અખિલેશ યાદવે મંચ પરથી જ ટોણા મારતા સ્વરમાં કહ્યું કે, મેં અગાઉ પણ ઓફર કરી હતી, હું રામપુરથી પણ ઓફર કરી રહ્યો છું "તમારી સાથે 100 ધારાસભ્યો લાવો, અમે 100 ધારાસભ્યો તમારી સાથે તૈયાર છીએ, સરકાર બનાવો અને મુખ્યમંત્રી બનો." સપા ચીફ અહીં જ ન અટક્યા અનેતેમણે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક વિશે પૂછ્યું, તમે નાયબ મુખ્યપ્રધાન બનીને ફરો છો, નાયબ મુખ્ય પ્રધાનમાં શું છે.
અખિલેશ યાદવે સીએમ અને ડેપ્યુટી સીએમ પર પ્રહારો કર્યા હતા
બ્રજેશ પાઠકનું નામ લીધા વિના અખિલેશે ટોણો માર્યો કે તેઓ તેમના વિભાગના સીએમઓ અને ડૉક્ટરની બદલી કરી શકતા નથી. તેવી જ રીતે, કેશવ પ્રસાદ મૌર્ય અંગે, સપા વડાએ કહ્યું કે અન્ય ઉપમુખ્યમંત્રી છે, તેમનો વિભાગ બદલવામાં આવ્યો છે. તેઓ જે વિભાગના મંત્રી બન્યા હતા તેનું બજેટ પણ નથી. એટલું જ નહીં, સપાના વડાએ સીએમ યોગી વિશે કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આજના મુખ્યમંત્રીની ફાઇલ પણ મારી સામે આવી હતી, પરંતુ અમે તેને પરત કરી દીધી હતી. આ લોકો જે પ્રકારનું રાજકારણ કરી રહ્યા છે તે આપણે સમાજવાદીઓ નથી કરતા.
सपा अध्यक्ष श्री अखिलेश यादव आप न मुख्यमंत्री बन पायेंगे न बना पायेंगे,बयानों से लगता है,बौखलाए/खिसियाए ही नहीं मैनपुरी और रामपुर में पराजय देख मानसिक संतुलन भी खो चुके हैं !गुंडागर्दी,बूथ क़ब्ज़ा कर नहीं पाओगे,जनता ने सपा की साइकिल को ख़ारिज कर दिया है!#जय_भाजपा_तय_भाजपा_गई_सपा
રામપુરમાં પ્રચાર કરવા ગયેલા સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકારના બંને ડેપ્યુટી સીએમને બળવો કરવાની સલાહ આપી ત્યારે કેશવ પ્રસાદ મૌર્ય ગુસ્સે થઈ ગયા. શુક્રવારે તેમણે અખિલેશ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અખિલેશ યાદવ ન તો મુખ્યમંત્રી બની શકશે અને ન તો બનાવી શકશે. તેમણે એમ પણ કહ્યું કે સપા વડાએ તેમનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. અખિલેશ યાદવના આ નિવેદન બાદ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કર્યું, 'સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, તમે ન તો મુખ્યમંત્રી બની શકશો અને ન તો બનાવી શકશો. નિવેદનો પરથી લાગે છે કે, તેઓ મૈનપુરી અને રામપુરમાં હાર જોઈને માત્ર ઉશ્કેરાયા જ નથી, પરંતુ તેમનું માનસિક સંતુલન પણ ગુમાવી દીધું છે. જનતાએ એસપીની સાઇકલને ફગાવી દીધી છે.