રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, માનવ જીવનને નુકસાન થયું છે.આવા કિસ્સા બેદરકારીના કિસ્સા છે. કંપનીના સંચાલકોની બેદરકારી હશે તો પગલાં લેવાશે.
વડોદરાની ઘટના પર મંત્રીઓના નિવેદન
મહેસૂલ મંત્રીએ કહ્યું,સહાયનો નિર્ણય બાદમાં
શ્રમ રોજગાર મંત્રીએ કહ્યું,કોઈને નહિ છોડાય
વડોદરામાં વડસર બ્રિજ કંપનીમાં બોઈલર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ નામની કંપનીમાં બોઈલર ફાટવાણી દુર્ઘટનામાં 4 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, માનવ જીવનને નુકસાન થયું છે.આવા કિસ્સા બેદરકારીના કિસ્સા છે. કંપનીના સંચાલકોની બેદરકારી હશે તો પગલાં લેવાશે સાથોસાથ તેમણે ઉમેર્યું કે, બોઇલર હોય ત્યાં મકાન કે રેસિડેન્સ ના હોવા જોઈએ. મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી સહાયનો નિર્ણય લેવામા આવશે.ફેક્ટરી ઈન્સ્પેક્ટરે તટસ્થ તપાસ કરવાની હોય,ત્યારે જો કોઈ બેદરકારી હશે તો પગલાં લેવામાં આવશે. તેમ કહ્યું હતું.
આ જ દુર્ઘટના પર રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા એ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ કસૂરવારને છોડવામાં નહી આવે, જો ઇન્સ્પેક્શનમાં ભૂલ હશે તો અધિકારી સામે પગલાં પણ લેવાશે. અહીં કંપનીની ભૂલ હશે તો કંપની સામે પગલાંઓ ભરાશે.ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે વિભાગ વધુ કટિબદ્ધ બનશે.