જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ગ્રહનું ખાસ સ્થાન છે. કુંડળીમાં ગુરૂના શુભ રહેવાથી વ્યક્તિનું ભાગ્યોદય થાય છે.
આ 5 રાશિના લોકો માટે આવતા 2 મહિના છે શુભ
નોકરી ધંધામાં થશે ફાયદો
ધાર્મિક કાર્યો કરવા
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ગ્રહનું ખાસ સ્થાન છે. કુંડળીમાં ગુરૂના શુભ રહેવાથી વ્યક્તિનું ભાગ્યોદય થાય છે. બૃહસ્પતિ દેવ વિશાખા, પુનર્વસુ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. ગુરૂને જ્ઞાન, સંતાન, શિક્ષા, મોટા ભાઈ, ધાર્મિક કાર્ય વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ ગણના અનુસાર આવનાર 2 મહિના સુધી અમુક રાશિઓ પર દેવગુરૂ બૃહસ્પતિની ખાસ કૃપા રહેશે.
મેષ
મેષ રાશિના લોકો પર આવનાર મહિનાઓમાં ગુરૂ ગ્રહની ખાસ કૃપા રહેશે. આ કારણે આ સમય ખૂબ જ લાભકારી રહેવાનો છે. સાથે જ નોકરી અને બિઝનેસ માટે પણ આ સમય શુભ રહેશે. વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર કાર્યોની સરાહના થશે. સાથે જ ધન લાભ પણ થશે. નોકરી માટે નવા અવસર મળશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે.
મિથુન
બૃહસ્પતિ ગ્રહનું જીવન પર શુભ પ્રભાવ પડશે. નોકરીમાં આર્થિક ઉન્નતિનો અવસર પ્રાપ્ત થાશે. રોજગારમાં તરક્કી થશે. લગ્ન જીવનમાં સુખ આવશે. નવું મકાન અથવા વાહન ખરીદવાનો યોગ બનશે. અન્ય કાર્યોમાં પણ સફળતા મળશે.
સિંહ
આવનાર 2 મહિનામાં વૃહસ્પતિ દેવની કૃપાથી ધન લાભની સાથે સાથે આર્થિક પક્ષની મજબૂતી રહેશે. નોકરીમાં માન સન્માનની સાથે પદોન્નતિ રહેશે. બિઝનેસમાં ધન લાભના ઘણા યોગ બનશે. વિદ્યાર્થીઓને ખાસ લાભ મળશે. પરિવારના સદસ્યોનો આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે.
મીન
ગુરૂ ગ્રહની કૃપાથી આવતા બે મહિનામાં ધન લાભ થશે. સાથે જ કિસ્મતનો પણ ભરપુર સાથ મળશે. મીન રાશિ વાળા માટે આવનાર બે મહિનામાં ખૂબ તરક્કી થશે. વૈવાહિક જીવન સુખમ બની રહેશે. નોકરીમાં પ્રમોશન યોગ બનશે. તે ઉપરાંત સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માન સન્માન મળશે.
વૃશ્ચિક
બૃહસ્પતિની કૃપાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. આ રાશિના લોકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. વૈવાહિક જીવનમાં ખુસીઓ આવશે. પારિવારિક સદસ્યોથી સહયોગ મળશે. રોજગારમાં આર્થિક પ્રગતિ થશે.