ગૃહમંત્રી અમિતશાહ આવતા રવિવારે અમદાવાદ આવી રહ્યા છે. જેમા તેઓ અમદાવાદ આવીને એસજી હાઈવે પર સોલાથી ગોતા સુધીનો તૈયાર કરાયેલ બ્રીજનું લોકાર્પણ કરવાવા છે. જેથી દિવાળી પહેલા શહેરીજનોને મોટી ભેટ મળશે
એસજી હાઈવે પર સોલાથી લઈ ગોતા સુધીનો બ્રીજ તૈયાર
રવિવારે અમિતશાહ આવીને કરશે બ્રીજનું લોકાર્પણ
દિવાળી પહેલા અમદાવાદીઓને મળશે મોટી ભેટ
અમદાવાદીઓને હવે દિવાળીના પહેલા સરકાર દ્વારા મોટી ભેટ મળશે. જે ભેટને કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળી રહેશે. એસ જી હાઈવે પર એલિવેટેડ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. જેથી હવે અમદાવાદના એસજી હાઈ વે પર ટ્રાફિકની સમસ્યા ઓછી જોવા મળશે. જેથી લોકોને મોટી રાહત મળી રહેશે.
ગાંધીનગર ટ્રાવેલ કરતા લોકોને મોટો ફાયદો
ખાસ કરીને જે લોકો અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરતા હોય છે. તે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી રહેશે. એસજી હાઈવને પર હવે મોટા ભાગના ટ્રાફિક રૂટ પર બ્રીજ બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળી છે. તેમા પણ હવે તો નવો બ્રીજ તૈયાર કરવામાં આવ્યો જેથી રસ્તો વધું સરળ બન્યો છે.
સોલાથી લઈ ગોતા સુધીનો અંડરબ્રીજ તૈયાર
એસજી હાઈવે પર સોલાથી લઈને ગોતા સુધીનો આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ બ્રીજ અત્યાર સુધીનો સૌથી લાંબો ઓવરબ્રીજ છે. આ ઓવરબ્રીજને કારણે જે લોકોને ગાંધીનગર જવું હશે તે લોકોની અંદાજે 15 મીનીટ બચી જશે. જેથી અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરનારાને સૌથી મોટો ફાયદો થશે.
હોસ્પિટલ જતા ઈમરજન્સી વાહનોને થશે ઘણો ફાયદો
ઉલ્લેખનીય છે કે આ બ્રીજને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા ઈમરજન્સી વાહનોને પણ ઘણો ફાયદો થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવતા રવિવારે અમદાવાદ આવશે અને તેઓ આ બ્રીજનું ઉદ્ધાટન કરવાના છે. મહત્વનું છે અગાઉ પણ એસજી હાઈવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પર બ્રીજનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ અમિત શાહ આવ્યા હતા અને તેમણેજ તે બ્રીજનું ઉદ્ઘાટન કર્યું હતું.