વાત કરવી છે એક ગામના પ્રાણ પ્રશ્નની, વિકાસના પુલની. એવો વિકાસનો પુલ જે અહીં આઝાદીથી અત્યાર સુધી બન્યો જ નથી. એવું ગામ કે, જે દર વર્ષે મોત રૂપી નદીને ઓળંગવા માટે મજબૂર છે. ત્યારે કેવી છે વિકાસશીલ ગુજરાતના વિકાસની હકીકત જુઓ આ રિપોર્ટમાં
73 વર્ષે વિકાસ માટે ઝખતું ગામ
એક પૂલ નથી બનાવી શક્તિ સરકાર?
કેમ 4 હજાર લોકોની વેદના નથી સમજાતી?
બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું ઈશ્વરીયા ગામ કે જ્યાં ગામમાં પ્રવેશવા માટે ઘેલો નદી પસાર કરીને જ જવું પડે છે ત્યારે ચાલુ વર્ષે પડેલા સતત વરસાદ ના કારણે ઘેલો નદીમાં સતત નદી ઓવરફલો જઈ રહી છે ત્યારે નદીના આ કાંઠે ગામ છે તો સામા કાંઠે વાડીઓ ત્યારે વાડીએ જવા માટે કે પછી દવાખાનાના કામ માટે કે પછી કોઈ પણ ખરીદી માટે જવા માટે નદીમાં ગળાડૂબ પાણી માથી પસાર થવું પડે છે જ્યારે આ સમસ્યા છેલ્લા 70 વર્ષથી ગામલોકો ભોગવી રહ્યા છે ત્યારે પુલ બનાવવાની માંગ ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી ત્યારે વહેલી તકે જો પુલ નહીં બનાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની ગામ લોકો ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.
ઘેલો નદી પર પુલ બનાવવાની માંગ
બોટાદ જિલ્લામાં સતત વરસેલા વરસાદના કારણે અનેક નદીઓમા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે જ્યારે હજુ પણ નદીઓ બે કાંઠે સતત વહી રહી છે, ગઢડા ની ઘેલો નદી હજુ પણ સતત બે કાંઠે તમામ ચેકડેમો પરથી ઓવરફલો ની સ્થિતિ એ બે કાંઠે વહી રહી છે ત્યારે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું ઈશ્વરીયા ગામ કે જ્યાં ના ગ્રામ જનો નો છેલ્લા 70 વર્ષથી એકમાત્ર પ્રાણ પ્રશ્ન છે ગામમાં પ્રવેશવા માટેના ઘેલો નદી પર પુલ બનાવવાની માંગ ને લઈ મામલતદાર, ધારાસભ્ય, કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી તમામ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ચૂક્યા છે.
લોકો જીવના જોખમે નદી પસાર કરીને જવા મજબૂર
પરંતુ કોઈ નિકાલ આવતો નથી ત્યારે સમસ્ત ગ્રામજનો ની એક જ માંગ છે કે હવે જો વહેલી તકે પુલ બનાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે, ગામના સામા કાંઠે તમામ ગ્રામજનોના ખેતરો આવેલા છે જ્યાં નહીં જઈ શકવાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓ ને પણ ખૂબ જ હાલાકીનો સામનો દર વર્ષે કરવો પડે છે આરોગ્યના કામ અર્થે પણ નથી જઈ શકાતું જ્યારે અન્ય કોઈ પણ નાની મોટી ખરીદી કે પછી બોટાદ ખાતે સરકારી કામ અર્થે પણ જો ફરજિયાત જવું પડે એમ હોય તો લોકો જીવના જોખમે નદી પસાર કરીને જવા મજબૂર છે તેવું ગ્રામ જનો જણાવી રહ્યા છે.
જ્યારે આ મુદ્દે ગઢડાના મામલતદાર મહાવીરસિંહ ઝાલા સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે સરપંચ સહિતના આગેવાનો દ્વારા કરાયેલ રજૂઆતને ધ્યાને લઈ ઉચ્ચકક્ષાએ ગત 3 સપ્ટેમ્બરના રોજ ડેપ્યુટી એન્જીનીયર સિંચાઈ વિભાગ તેમજ ડેપ્યુટી એન્જીનીયર મકાન અને માર્ગ વિભાગ તેમજ તાલુકા વિકાસ અધિકારી ગઢડાને આ મુદ્દે માહિતી મોકલી આપેલ છે તેમજ સત્વરે ગ્રામજનોની પુલ બનાવવાની માંગણી મુદ્દે જરૂરી તમામ કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.