બ્રિજ પર ગાબડું પડવાથી 40 દિવસમાં રિપેરીંગ કરવાનો આદેશ છતાં 40 દિવસ બાદ પણ બ્રિજનું રિપેરીંગ નથી થયું, બ્રિજ નીચે લોખંડના પિલરના સપોર્ટ મૂકવામાં આવ્યા
અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજની હાલત બિસ્માર
છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી બ્રિજ બંધ
બ્રિજ પર ગાબડું પડવાથી 40 દિવસમાં રિપેરીંગ કરવાનો અપાયો હતો આદેશ
આદેશ આપ્યાના 40 દિવસ બાદ પણ નથી થયું બ્રિજનું રિપેરીંગ
બ્રિજ નીચે મૂકવામાં આવ્યા લોખંડના પિલરના સપોર્ટ
ગુજરાતમાં તાજેતરમાં જ મોરબીમાં જે હોનારત સર્જાઈ તેના ઘા હજી રુઝાયા નથી. જે લોકોએ તે દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેમના પરિવારના લોકો તો આજીવન આ ગોઝારી ઘટનાને નહીં ભૂલી શકે. જોએક આ ઘટના બાદ રાજ્યમાં અનેક બ્રિજ જે જર્જરિત છે તેને લઈ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજની હાલત બિસ્માર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી બ્રિજ બંધ છે. મહત્વનું છે કે, 4 મહિના પહેલા બ્રિજ પર પડ્યું ગાબડું હતું. બ્રિજ પર ગાબડું પડવાથી 40 દિવસમાં રિપેરીંગ કરવાનો આદેશ અપાયો હતો. જોકે આ આદેશ આપ્યાના 40 દિવસ બાદ પણ બ્રિજનું રિપેરીંગ નથી થયું.
અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. જોકે ચારેક માસ પહેલા આ બ્રિજમાં ગાબડું પડતાં તેને બંધ કરવામાં આવ્યો હતો. જોકે ગાબડું પડ્યું હોઇ 40 દિવસમાં આ બ્રિજ રિપેરીંગ કરવાનો આદેશ અપાયો હતો. આ તરફ હવે આદેશ આપ્યાના 40 દિવસ બાદ પણ બ્રિજનું રિપેરીંગ નથી થતાં અનેક સવાલો ઊભા થયા છે. આ સાથે હવે બ્રિજ નીચે લોખંડના પિલરના સપોર્ટ મૂકવામાં આવ્યા છે. જોકે હવે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ તે સવાલ ઊભો થી રહ્યો છે.
શું કહેવું છે રાહદારીઓનું ?
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર ગાબડું પડ્યા બાદ તેને બંધ કરવામાં આવ્યો છે. જોકે બ્રિજ રિપેરિંગના આદેશ આપ્યાના 4 મહિના બાદ પણ પરીસ્થિતિ એ ની જ છે. જેને લઈ હવે રાહદારીઓ પણ કહી રહ્યા છે કે, શું તંત્ર અહીં મોરબીની જેમ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. કોઈ મોટી જાનહાની થાય તો જવાબદારી કોની?. એક રાહદારી જણાવ્યું હતું કે, બાળકોને બ્રિજ નીચેથી પસાર થતા પણ ભય લાગે છે. તો વળી એવું પણ કહ્યું હતું કે, AMC કોન્ટ્રાક્ટર પાસે જવાબ જ નથી માગતું.
VTVના સળગતા સવાલ
હાટકેશ્વરનો બ્રિજ ક્યારે રિપેર કરવામાં આવશે?
અમદાવાદ મનપાને આ જર્જરિત બ્રિજ દેખાતો કેમ નથી?
કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી?
શું કોઈ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું છે?
40 દિવસમાં બ્રિજ રિપેર કરવાયો વાયદો કેમ પૂર્ણ ન થયો?