જામનગરથી કચ્છ જતા રસ્તા ઉપર પુલ ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો. સરકારી કામોમાં ટેન્ડર પાસ કરાવવા માટે આપવા પડતા ઉપરના પૈસાને જોરે કોન્ટ્રાક્ટર મનફાવે તેવી ગેરરીતિ આચરીને પુલ બાંધી દે છે જેનું નુકસાન જાહેર જનતાએ ભોગવવું પડે છે. આ પુલ તુટવા માટે કોણ જવાબાદર? ગુજરાતમાં થઈ રહેલો ભ્રષ્ટાચારનો વિકાસ કેટલાના જીવ લઈને અટકશે? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
જામનગરથી કચ્છ જતા રસ્તા પર તૂટ્યો પુલ
આમરણ અને ખારચિયા વચ્ચે આવેલા પુલ તૂટ્યો
પુલ તૂટતા વાહન વ્યવહારને થઈ અસર
સદનસીબે કોઈ જાનહાની નહી
ગુજરાતમાં જામનગરથી કચ્છ જતા રસ્તા ઉપર પુલ તુટવાની ઘટના સામે આવી છે. આ પુલ તુટતા વાહન વ્યવહારને માઠી અસર થઈ છે. ન વરસાદ હતો ન પુર ન પાણી પુલ સુનો સુનો ભોંયભેગો થઈ જતા પુલ બનાવતી વખતે થયેલા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સાબિત થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ મામલે શું પગલા લે છે તે જોવું રહ્યું.
પુલ તૂટતા એક ગામથી બીજા ગામમાં જવાનો રસ્તો બંધ
જામનગરથી કચ્છ જતા રસ્તા પર પુલ તૂટવાની ઘટના સામે આવી છે. આમરણ અને ખારચિયા વચ્ચે આવેલ પુલ તૂટ્યો છે. પુલ તૂટતા વાહન વ્યવહારને અસર થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પુલ તૂટતા એક ગામથી બીજા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.
ઉઠી રહ્યા છે પ્રશ્ન
શું પુલના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે? પુલના સમારકામ અંગે કેમ કાળજી ન લેવાઇ? RNB વિભાગને પુલની સ્થિતિ વિશે જાણ નહતી? શું વધુ કમાણી માટે ગુણવત્તા સાથે બાંધછોડ કરાઇ? મોટી જાનહાનિ કે દુર્ઘટના થઇ હોત તો? શું કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલા લેવાશે?