ઉત્તર પ્રદેશના મથુરામાં એક પુત્રીનાં લગ્નના દિવસે જ જયમાળા બાદ તેની કોઈએ ગોળી મારીને હત્યા કરી છે. જાણો શું છે સમગ્ર મામલો
લગ્નના દિવસે વધૂની હત્યા
વરમાળા બાદ બન્યો આ બનાવ
ઉત્તર પ્રદેશનાં મથુરાની ઘટના
પુત્રીનાં લગ્ન પર માની ગોળી મારીને કરવામાં આવી હત્યા
ઉત્તર પ્રદેશનાં મથુરાથી એક હેરાન કરી મુકે એવો મામલો સામે આવ્યો છે. અહી એક લગ્ન દરમિયાન એક અજાણ્યા માણસે દુલ્હનને ગોળી મારીને તેની હત્યા કરી નાંખી. બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
વરમાળા બાદ બન્યો આ બનાવ
જણાવી દઈએ કે મૃતક મહિલાનાં પરિજનોની સ્થિતિ રડી રડીને અત્યંત ખરાબ છે. આ ઘટના મથુરાનાં નૌઝીલનાં મુબારીકપુરમાં બની છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. લગ્ન દરમિયાન આ કોણે કર્યું, તેની તપાસ થઇ રહી છે. વરમાળા બાદ જ્યારે વધૂ પછી પોતાના રૂમમાં પહોંચી, તો કોઈએ તેની ગોળી મારીને હત્યા કરી નાંખી.
Uttar Pradesh | A bride was shot dead last night in Mubarikpur village of Naujheel, Mathura
"After 'Jai Mala', my daughter went to the room and an unknown person came and shot her," says father of the deceased girl
વધૂનાં પિતાએ જણાવ્યું કે જયમાળા બાદ તેમની દીકરી પોતાના રૂમમાં ગઈ ત્યારે કોઈએ ગોળી મારીને તેની હત્યા કરી નાંખી.
પોલીસે કરી કડક કાર્યવાહીની વાત
આ મામલા પર મથુરા એસપી શિરીષ ચંદ્રએ કહ્યું કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. જે કોઈપણ આ મામલામાં દોધિત હશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આસપાસનાં લોકોથી પણ પૂછતાછ કરવામાં આવી રહી છે.
દુલ્હનની હત્યા થયા બાદ તેમના સંબંધિઓ શોકમાં છે. જે ઘરમાં પુત્રીનાં લગ્નની શરણાઈ વાગી રહી હતી, ત્યાં આજે શોકનું વાતાવરણ છે. સંબંધીઓએ વહેલી તકે દોષિતને અરેસ્ટ કરવાની માંગણી કરી છે.