મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં કન્યાએ લગ્ન સમારંભ વચ્ચે વરરાજાની માનસિક સ્થિતિ યોગ્ય ના હોવાનું કારણ આગળ ધરીને લગ્ન કરવાનો ઈન્કાર કર્યો. ત્યારબાદ વિવાદ પણ થયો જેમાં કન્યા પક્ષ પર જાનૈયાઓને બંધી બનાવીને મારવાનો આરોપ લગાવ્યો છે.
લગ્ન સમારંભમાં કન્યાએ અચાનક તોડ્યા લગ્ન
વરરાજાની માનસિક સ્થિતિ યોગ્ય ના હોવાનું કારણ આગળ ધર્યુ
જાનૈયાઓ કન્યાના કુટુંબીજનોને બતાશા મારતા હતા
કન્યાએ વરરાજાની માનસિક સ્થિતિ પર ઉઠાવ્યાં સવાલ
જાણકારી મુજબ, રીવા જિલ્લાના મઉગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના વનપાઢર ગામમાં જાન આવી હતી. અહીં યમુના યાદવની દીકરીના મનિકવાર ગામના અમૃત લાલના દીકરા પ્રદ્યુમનની સાથે લગ્ન થવાના હતા. લગ્નની વિધિઓ ચાલી રહી હતી ત્યારે જાનૈયાઓની હરકતને લઇને વિવાદ થયો અને કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી. પોલીસ મુજબ, કન્યાએ વરરાજાની માનસિક સ્થિતિને લઇને સવાલ ઉઠાવી લગ્ન કરવાની ના પાડી દીધી. જેની પહેલા દ્વારચારની વિધિ દરમ્યાન પરંપરા મુજબ જાનૈયાઓ કન્યાના કુટુંબીજનોને બતાશા મારતા હતા. આ પરંપરાની વિધિ અનોખી ચાલી રહી હતી ત્યારે અમુક જાનૈયાઓએ મહિલાને નિશાન બનાવીને બતાશા માર્યા હતા. જેના પર વિવાદ વધ્યો અને કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને ખૂબ માર્યા. સોશિયલ મીડિયામાં વરરાજા અને તેના સાથીઓને માર મારવાનો અને ઘસેડવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જાનૈયાઓની હરકતને લઇને થયો વિવાદ
જાનૈયાઓમાંથી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશન પહોંચીને આપવીતી જણાવી ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પૂરવામાં આવેલા જાનૈયાઓને મુક્ત કરાવ્યાં. પોલીસ અધિક્ષક શિવ કુમારે પત્રકારોને જણાવ્યું છે કે લગ્નની વિધિ દરમ્યાન જાનૈયાઓની હરકતો અયોગ્ય હોવાનો કન્યા પક્ષે આરોપ લગાવ્યો. વરરાજાની માનસિક સ્થિતિ સારી ના હોવાની વાતને છુપાવીને લગ્ન કરવાનો આરોપ પણ જાનૈયાઓ પર લાગ્યો છે. જેના પર વિવાદ થયો અને લગ્ન ના થયા.