આજકાલ લોકોને પ્રીવેડીંગનો ઘણો શોખ વળગ્યો છે. ત્યારે એક દુલ્હને પોતાના લગ્નમાં ફોટોગ્રાફર ન લાવનાર જાનૈયાઓને લગ્નની નાં પાડી દીધી.
ફોટાનો શોખ આજકાલ લગ્ન તોડવી શકે છે
વિડીયોગ્રાફર ન લાવનાર જાનને વગર દુલ્હને ઘરે જવું પડ્યું
લગ્નની સુંદર પળો કેપ્ચર કરવા માંગતી હતી દુલ્હન
ફોટોગ્રાફર ન આવતા લગ્નની ના પાડી
દરેકને ફોટા પાડવાનો અને ફોટા પડાવવાનો ક્રેઝ હોય છે. પરંતુ જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે એક બેસ્ટ ફોટોગ્રાફર વર-વધૂને સારા ફોટો લઇ શકે છે. આજકાલ લોકોના લગ્ન નાની-નાની વાતો પર તૂટી રહ્યા છે. આવા જ સમાચાર યુપીના મંગલપુરથી આવ્યા છે. અહીં વરપક્ષના લોકો ફોટોગ્રાફર સાથે લગ્નમાં ન આવ્યા તો દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.
તમામ તૈયારીઓ થઇ ગઈ હતી
શનિવારે રાત્રે કાનપુર જિલ્લાના મંગલપુર ગામમાં નાચતા-ગાતા જાનૈયા પહોંચ્યા. આ પછી વિધિઓ ચાલુ કરવામાં આવી હતી. મોડી રાત્રે જ્યારે વરમાળા શરૂ થઇ તો દુલ્હન ત્યાં આવી. તે પછી જ દુલ્હને જોયું કે ફોટા અને વીડિયો માટે વરરાજાની તરફથી કોઈ ફોટોગ્રાફર લાવવામાં આવ્યો નથી. આ જોઈ દુલ્હનને ગુસ્સો આવ્યો. તે ત્યાં ભડકી ઊઠી.
દુલ્હન મંડપમાંથી જતી રહી
દુલ્હન સ્ટેજ પરથી ઊભી થઈને પાડોશીઓની ત્યાં જતી રહી. દુલ્હન ખૂબ ગુસ્સે થઈ ગઈ. પરિવારજનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોટોગ્રાફર વરરાજાના પક્ષમાં કેમ ન આવ્યો તે અંગે તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેમણે ત્યાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ લગ્નની કિંમતી અને સુંદર પળોને કેપ્ચર કરવા માટે ફોટોગ્રાફરને નથી લાવ્યો, તે ભવિષ્યમાં તેની કેટલી સંભાળ લેશે.
જાનૈયાઓ દુલ્હન લીધા વગર પરત ફર્યા
પહેલા તો પરિવારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી આ મામલો પોલીસ મથકે ગયો હતો. પંચાયત શરૂ થઈ, પરંતુ લગ્ન ન થયા. દુલ્હને આ વ્યક્તિ સાથે સીધી રીતે લગ્ન કરવાની ના પાડી દીધી. બંને પક્ષોએ એક બીજાને એકબીજાનો સમાન પરત કરી દીધો અને જાન પાછી જતી રહી. પોલીસે જણાવ્યું હતું કે, સમગ્ર વિવાદ ફોટોગ્રાફરને ન લાવવાને લઈને શરૂ થયો હતો.