વિવાહ ફિલ્મ દરેકને યાદ હશે, જેમાં લગ્નના આગલા દિવસે હિરોઇન દાજી જાય છે અને આઇસીયુમાં એડમિટ કરે છે, તેનું આખુ શરીર બળી જાય છે તેમ છતાં શાહિદ કપૂર તેને અપનાવે છે અને લગ્ન કરે છે. આવી જ ઘટના પ્રતાપગઢમાં ઘટી છે.
લગ્નના 8 કલાક પહેલા દુલ્હન થઇ અપંગ
દુલ્હનની કરોડરજ્જુ ટૂટી ગઇ
વરરાજાએ કર્યા સ્ટ્રેચર પર લગ્ન
લગ્નની તૈયારીઓ
વર-કન્યા બંનેના ઘરમાં લગ્નની તૈયારી થઇ રહી હતી. બપોરના સમયે દુલ્હન એક બાળકને બચાવવા માટે ગઇ અને તે ધાબા પરથી નીચે પડી ગઇ અને કરોડરજ્જુ ટૂટી ગઇ હતી.
બાદમાં જ્યારે ઘરના લોકોને ખબર પડી તો બંને પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો, આરતીને જલ્દી જ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને જાનૈયાઓને જાણકારી આપવામાં આવી હતી.
વરરાજાએ કહ્યું હું કરીશ લગ્ન
વરરાજાનું નામ અવધેશ છે અને જ્યારે તેને આ વાતની જાણકારી મળી ત્યારે તેણે કહ્યું કે હું આરતીને અપનાવીશ. લગ્ન પણ તે જ દિવસે થશે જે દિવસે નક્કી થયા છે.
અવધેશે કહ્યું ભલે દુલ્હન ઓક્સિજન પર હોય, તે સપોર્ટ સિસ્ટમ પર હશે તો પણ હું તેની સાથે લગ્ન કરીશ. હું તેનો સાથી બનીને તેનુ દુઃખ વહેંચવા માગુ છુ.
અવધેશની આ જીદને કારણે ડૉક્ટર્સની પરમિશન બાદ આરતીને એમ્બ્યુલન્સમાં ઘરે લાવવામાં આવી અને સ્ટ્રેચર પર રહેલી દુલ્હન સાથે લગ્ન કર્યા હતા. આરતીની વિદાય પણ થઇ હતી પરંતુ તેને છોકરાના ઘરે નહી હોસ્પિટલ લઇ જવામાં આવી.