લગ્ન એ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોય છે, સમજ્યા વિચાર્યા વગર લગ્ન કરી લેવાથી ભવિષ્યમાં તકલીફો જ ઉભી થાય છે. એક વિચિત્ર ઘટના ઉત્તરપ્રદેશમાં સામે આવી છે.
લગ્નના દિવસે જ અટકી ગયા લગ્ન
6 ફેરા બાદ લગ્ન કરવાની પાડી દીધી ના
અડધી રાત્રે ભરાઇ હતી પંચાયત
યુપીના મહોબામાં લગ્ન તૂટવાનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નની બધી વિધી થઇ ગઇ હતી અને દુલ્હને ફેરા અટકાવી દીધા હતા અને કહી દીધુ હતુ કે મારે લગ્ન નથી કરવા.
6 ફેરા બાદ પાડી ના
દુલ્હને 6 ફેરા લીધા અને બાદમાં ના પાડી દીધી હતી કે લગ્ન નથી કરવા ત્યારે ખળભળાટ મચી ગયો હતો. પંચાયત પણ બોલાવવામાં આવી હતી પરંતુ દરેક પ્રયત્ન બાદ જાન દુલ્હન લીધા વગર જ પાછી ગઇ હતી. આ મામલો પંથકમાં ચર્ચાનું કારણ બન્યો છે.
ગુરુવારે કુલપહાડ જિલ્લાના એક ગામમાં જાન આવી હતી અને દુલ્હન પક્ષે જાનૈયાઓનું જોરદાર સ્વાગત પણ કર્યુ હતુ. ઢોલ -નગારા વાગી રહ્યાં હતા અને જયમાલાની વિધિ પણ કરવામાં આવી હતી. ડાન્સ કર્યા બાદ જમણવાર પણ થયો અને તસવીરોનો કાર્યક્રમ પણ જોરદાર ચાલ્યો હતો.
આગળ જતાં જયમાલાની વિધી અને બાદમાં ફેરા ફરવાની વિધી શરૂ થઇ હતી. 6 ફેરા થયા બાદ અચાનક દુલ્હને લગ્ન કરવાથી મનાઇ ફરમાવી દીધી હતી. કારણ પૂછવા પર દુલ્હને કહ્યું, મને વરરાજા પસંદ નથી હું તેની સાથે લગ્ન નહી કરુ.
પોતાના રૂમમાં જતી રહી દુલ્હન
લગ્ન રોકાઇ ગયા બાદ બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગઠબંધનની ગાંઠ છોડીને પોતાના રૂમમાં જતી રહી હતી. જે બાદ લગ્નમાં આવેલા દરેક લોકોના હોશ ઉડી ગયા હતા.
અડધી રાત્રે ભરાઇ પંચાયત
સાતમો ફેરો લેવાથી ઇન્કાર કર્યા બાદ ત્યાં હાજર દરેક લોકોના હોશ ઉડી ગયા હતા અને છોકરીને સમજાવ્યા બાદ પણ તે નહોતી માની રહી. ત્યારે અડધી રાત્રે પંચાયત બોલાવવામાં આવી અને ચર્ચા થઇ તેમ છતાં દુલ્હન લગ્ન માટે રાજી થઇ નહોતી.
ભડક્યા વરરાજાના પિતા
આ ઘટના બાદ વરરાજાના પિતા ભડક્યા હતા, તેમણે કહ્યું કે જો લગ્ન જ નહોતા કરવા તો જયમાલાની વિધી પણ શું કામ કરાવી હતી. પહેલા જ ના પાડી દેવી હતી.