મધ્યપ્રદેશમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં દુલ્હને ઘરે આવેલી જાન પાછી મોકલી હતી. કારણ જાણીને તમને પણ નવાઇ લાગશે.
મધ્યપ્રદેશમાં બની ગજબ ઘટના
દુલ્હને લગ્ન કરવાની ના પાડી
મંડપમાંથી જાન પાછી કાઢી
મધ્યપ્રદેશમાં જાન લઇને આવેલો વરરાજા નશામાં એટલો ધૂત હતો કે તે ઘોડી પરથી 3 વાર નીચે પડ્યો હતો. દુલ્હન આ નજારો જોઇ રહી હતી અને જ્યારે વરરાજા લગ્નના મંડપમાં પહોંચ્યો ત્યારે દુલ્હનને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
બુધવારે ઘટી આ ઘટના
બુધવારે રાત્રે એક ગામમાં જાન પહોંચી હતી અને જાનનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું હતુ પરંતુ વરરાજા લગ્નના મંડપમાં પહોંચ્યો તો ઘોડી પરથી નીચે ઉતરવામાં 3 વાર નીચે પડી ગયો હતો. કન્યાપક્ષના લોકોએ તેને ઉઠાવ્યો તો તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. દુલ્હને આ નજારો પોતાની આંખોથી જોઇ લીધો હતો. બાદમાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરિવારના લોકોએ તેને મનાવી પરંતુ તેણે પોતાનો નિર્ણય બદલ્યો નહોતો.
ઘોડી પરથી નીચે પડ્યો વરરાજા
દુલ્હને સાફ કહી દીધુ કે કુંવારી રહીશ પરંતુ દારૂડિયા સાથે લગ્ન નહી કરુ. ઘણા સમય સુધી પંચાયત ચાલતી રહી પરંતુ દુલ્હન લગ્ન માટે ન જ માની અને દુલ્હનનો જવાબ સાંભળીને લગ્નનો માહો પણ ફીકો પડી ગયો હતો. દુલ્હનના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ પણ થઇ
પોલીસે લગ્નમાં પહોંચીને બને પક્ષને સમજાવીને મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમાધાન તો થઇ ગયુ પરંતુ દુલ્હન લગ્ન માટે માની નહોતી. પોલીસ ત્યાં પહોંચી અને સમગ્ર ઘટના જાણી બાદમાં દુલ્હનની વાત સાચી લાગી હતી. જે બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતુ.