તામિલનાડુમાં વરરાજાએ દુલ્હનને સ્ટેજ પર જાપટ મારી હતી. આ કારણે દુલ્હને લગ્ન કેન્સલ કરી ત્યાં જ ઉપસ્થિત બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા.
શા માટે વરરાજાએ દુલ્હનને મારી જાપટ?
દુલ્હને તે જ સમયે બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા.
દુલ્હનનો પરિવાર દુલ્હનના નિર્ણયથી સહેમત છે.
શું હતો મામલો?
તમિલનાડુમાં એક દુલ્હાએ લગ્ન સમારોહમાં ડાન્સ દરમિયાન દુલ્હનને જાપટ મારી હતી. જેથી દુલ્હન એટલી નિરાશ થઈ ગઈ કે તેને એ જ સમયે એ વ્યક્તિ સાથે લગ્ન કેન્સલ કર્યા હતા. અસલમાં, એ સમયે દુલ્હનનો ભાઈ ત્યાં આવી ગયો હતો અને એ એમની સાથે નાચવા લાગ્યો હતો. દુલ્હાને આ વાત પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ત્યારે જ દુલ્હનને સૌની સામે જાપટ મારી દીધી. આ ઘટના કુડ્ડાલોર જિલ્લાના પનરુતીની છે. એટલું જ નહીં, દુલ્હને એ દુલ્હા સાથે લગ્ન તોડતાની સાથે જ ત્યાં આવેલા કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન પણ કર્યા હતા.
દુલ્હનના પરિવારની પ્રતિક્રિયા
દુલ્હનના પરિજનોએ જણાવ્યું કે દુલ્હાએ સૌની સામે દુલ્હનને સ્ટેજ પર લપાટ મારી હતી. એ લપાટ ઘણી જોરદાર પણ હતી. આ જ કારણ છે કે દુલ્હનને પણ ગુસ્સો આવી ગયો તથા તેણે નિર્ણય લીધો કે હવે તે આ વ્યક્તિ જોડે લગ્ન નહીં કરે. ત્યાર બાદ દુલ્હને એ જ લગ્નમાં ઉપસ્થિત એક વ્યક્તિ પસંદ કર્યો તથા એ જ નક્કી મૂરત પર લગ્ન પણ કર્યા હતા. પરંતુ તેણે લગ્નનું વેન્યુ બદલી નાખ્યું હતું. દુલ્હનના આ નિર્ણયને તેના પરિવારે પણ માણી લીધો તથા ધૂમધામથી લગ્ન કરાવ્યા.
UP માં ઘટેલી સમાન ઘટના
આ પહેલા ડિસેમ્બર 2021 માં ઉત્તરપ્રદેશના અલીગઢથી એક આવો જ હેરાન કરી મુકવવાળો મામલો સામે આવ્યો હતો. જ્યાં દુલ્હને અચાનક લગ્ન કરવાથી ઇનકાર કર્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઘણી ધમ્માચકડી મચેલી તથા એ મામલો પોલીસ સુધી પહોંચ્યો. આ મામલો અલીગઢના થાના છર્રા ઇલાકાના સિરૌલીનો છે.
લગ્ન સમારોહ દરમિયાન દુલ્હાનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું, જાનૈયાઓ જમ્યા, વરમાળા પૂરી ગઈ , માંગ ભરાઈ સુધી પતી ગયા બાદ જેવા મંડપમાં કન્યાદાન સમયે હાથ પર હરદળ લગાવવાના રિવાજ માટે દુલ્હાએ પોતાનો હાથ આગળ લંબાવ્યો તો દુલ્હનની ચીસ નીકળી ગઈ તથા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. કેમકે દુલ્હાના એક હાથની ત્રણ આંગળીઓ કપાયેલ હતી. દુલ્હને આરોપ લગાવ્યો કે દુલ્હાના હાથોની આંગળીઓ કપાયેલ હોવાની જાણકારી છુપાવવામાં આવી તથા બધાને અંધારામાં રાખવામાં આવ્યા હતા.