પિયરથી વિદાય થયેલી દુલ્હને લગભગ 20 કલાકનો સફર કરવાનો હતો, 7 કલાકના સફરમાં જ દુલ્હને પોલીસ બોલાવીને તોડ્યુ લગ્ન બંધન
પોલીસને કહી દુલ્હને મનની વાત
છોકરો પ્રયાગરાજનું કહી રાજસ્થાન બીકાનેરનો નિકળ્યો
છોકરીએ કહ્યુ આટલા દૂર મારે લગ્ન નથી કરવા
કહેવાય છે કે લગ્નનો બંધન સાત જન્મોનો હોય છે, પરંતુ કાનપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળીને તમને નવાઇ લાગશે કે આવુ કોણ કરી શકે? જી, હાં એવો જ એક કિસ્સો બન્યો છે ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે. એક દુલ્હને ફક્ત 7 કલાકમાં પોતાનો લગ્ન બંધન તોડ્યું. હકીકતમાં લગ્ન બાદ દુલ્હન પોતાના સાસરે જવા માટે વિદાય થઇ હતી. તેના પિયર અને સાસરે જવાની દૂરી દુલ્હનને એટલી વધારે લાગી કે તેણે પોલીસને બોલાવી લીધી અને અડધે રસ્તે જ લગ્ન બંધન તોડી દીધું.
જાણો શું છે મામલો?
મૂળ બનારસની રહેનારી વૈષ્ણવીના લગ્ન બીકાનેર રહેનારા રવિ સાથે નક્કી થયા હતા. રવિ જાન લઇને બનારસ પહોંચ્યો, ધામધૂમથી લગ્ન પણ થયા. પરંતુ વિદાય બાદ જ્યારે વર-વધુની ગાડી કાનપુરમાં રોકાઇ ત્યારે દુલ્હને પોલીસને જોઇને રડવા લાગી. પોલીસને દુલ્હનને રડતા જોઇ અને કઇ ખોટુ તો નથી થયું એટલે તેની પુછપરછ કરી. ત્યારે ખબર પડી કે, વરરજાના પરિવારે લગ્ન પહેલા પ્રયાગરાજના રહેનારા છે તેમ કહ્યું હતું અને હવે તે રાજસ્થાન બિકાનેર લઇ જઇ રહ્યાં છે.
હું બનારસથી છેલ્લા 7 કલાકથી સફર કરી રહી છું: નવવધુ
મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસને દુલ્હને કહ્યું કે, હું બનારસથી છેલ્લા 7 કલાકથી સફર કરી રહી છું અને હું હવે થાકી ગઇ છું. મારે રાજસ્થાન નથી જવું અને આટલા દૂર લગ્ન પણ નથી કરવા.
નવવધુ પાછી ફરી વારાણસી અને વરરાજા ગયા બીકાનેર
સમગ્ર વાતની જાણ થતા દુલ્હને પરિવારજનો સાથે વાત કરી તો તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો કે તે છોકરો બીકાનેરનો રહેનારો છે. દુલ્હનની માતાએ પોલિસને તેમની દીકરીને બનારસ પહોંચતી કરવાની વાત કરી. ત્યાં જ પોલીસે નવવધુ પાછી ફરી વારાણસી મોકલી આપી અને વરરાજા બીકાનેર તરફ રવાના થયો.