આઇપીએલની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદમાં મુખ્ય કોચ ટોમ મૂડીને ટીમમાંથી રજા આપવામાં આવી છે. તેમના સ્થાને ટીમના બેટિંગ કોચ બ્રાયન લારાને હેડ કોચ બનાવવામાં આવ્યા છે.
IPL ટીમ SRH ના નવા કોચની નિયુક્તિ
બ્રાયન લારા હવેથી સંભાળશે ટીમ
ભૂતપૂર્વ હેડ કોચ ટોમ મૂડીનો કાર્યકાળ સમાપ્ત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય કોચ ટોમ મૂડીને ટીમમાંથી રજા આપવામાં આવી છે. તેમના સ્થાને ટીમના બેટિંગ કોચ બ્રાયન લારાને હેડ કોચ બનાવવામાં આવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્વિટર પર આ માહિતી આપી હતી.
ટોમ મૂડીનો કાર્યકાળ સમાપ્ત
સનરાઇઝર્સ હૈદરાબાદે લખ્યું, અમારી સાથે ટોમ મૂડીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અમે તેમની સેવાઓ બદલ તેમનો આભાર માનીએ છીએ. તેની સાથેની આ સફર છેલ્લા કેટલાક વર્ષોથી શાનદાર રહી છે. અમે તેમને તેમના આગળના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ."
As his term with us draws to an end, we would like thank Tom for his contributions to SRH. It has been a much cherished journey over the years, and we wish him the very best for future endeavours. pic.twitter.com/aGKmNuZmq8
2 વાર હેડ કોચ રહી ચુક્યા છે
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ મૂડી વર્ષ 2013થી લઈને 2019 સુધી સનરાઈઝર્સના હેડ કોચ રહી ચૂક્યા છે. આ દરમિયાન ટીમ 5 વખત પ્લેઓફમાં પહોંચી હતી અને એકવાર ચેમ્પિયન પણ બની હતી. આ પછી વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાના ટ્રાવેલ બેલિસને સનરાઈઝર્સના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. જોકે, એક વર્ષ બાદ સનરાઇઝર્સમાં ફરી ટોમ મૂડીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેનો બીજો તબક્કો સારો રહ્યો ન હતો. આઈપીએલ 2022 માં સનરાઇઝર્સ 14 માંથી 8 મેચ હારીને આઠમા નંબર પર રહી હતી.
ગત સિઝનમાં લારા બેટિંગ કોચ હતા
બ્રાયન લારા ગત સિઝનમાં સનરાઇઝર્સના બેટિંગ કોચ હતા. ટીમના ખેલાડીઓ સાથે તેનો સારો મનમેળ છે. આવી સ્થિતિમાં સનરાઇઝર્સે નવા મુખ્ય કોચ તરીકે બ્રાયન લારાની નિયુક્તિ કરી હતી. સનરાઇઝર્સના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન પણ ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં હતા.