દેશમાં નાગરિકતા સંશોધન કાયદાને લાગૂ કર્યા બાદ મોદી સરકારે બ્રૂ શરણાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ અને બ્રૂ શરણાર્થીઓના પ્રતિનિધિઓની વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર થયા.
મોદી સરકારે બ્રૂ શરણાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો
ત્રિપુરામાં લગભગ 30,000 બ્રૂ શરણાર્થીઓને વસાવવામાં આવશે
અમિત શાહે કહ્યું છે કે બ્રૂ શરણાર્થીઓને 40 x 30 ફૂટનો પ્લૉટ આપવામાં આવશે
ગૃહમંત્રીએ કહ્યું કે, ત્રિપુરામાં લગભગ 30,000 બ્રૂ શરણાર્થીઓને વસાવવામાં આવશે. તેઓએ તેના માટે 600 કરોડના પેકેજનું પણ એલાન કર્યું. નોંધનીય છે કે, 1997માં પાડોશી રાજ્યમાં થયેલી હિંસા બાદ બ્રૂ જનજાતિના લોકોએ ભાગીને કેમ્પમાં શરણ લીધી હતી. છેલ્લા 22 વર્ષથી તેમણે ત્યાં રહી રહ્યા છે. તેમણે ભારતની બહારથી નથી આવ્યા પરંતુ અહીંની જ જનજાતિના છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બ્રૂ શરણાર્થીઓને 40 x 30 ફૂટનો પ્લૉટ આપવામાં આવશે. સાથે જ તેમને ચાર લાખ રૂપિયાની ફિક્સ ડિપોજિટ પણ આપવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, બે મહીના સુધી દર મહીને તેમને 5,000 રૂપિયાની આર્થિક મદદ પણ કરવામાં આવશે. આ ઉપરાંત મફતમાં અનાજ આપવામાં આવશે. આ બેઠકમાં ત્રિપુરા અને મિઝોરમના મુખ્યમંત્રી પણ હાજર હતા.
આ જનજાતિના લોકો લાંબા સમયથી પોતાના 'અધિકારો' ની માંગ કરી રહ્યા હતા. ચૂંટણી દરમિયાન તેમના માટે અલગથી બૂથ પણ બનાવવામાં આવ્યા હતા. બ્રૂ સમુદાય મુખ્યત્વે ત્રિપુરા, મિઝોરમ, અને આસામમાં રહેતા હતા. 1995માં બ્રૂ અને મિઝો જનજાતિઓમાં આંતરિક હિંસક ઘર્ષણ થયું હતું. ત્યારબાદ તેઓ ત્રિપુરામાં કેમ્પમાં રહેવા લાગ્યા. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબએ બ્રૂ શરણાર્થીઓની સમસ્યાના સમાધાન માટે એક ઐતિહાસિક પગલુ બતાવ્યું.