અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. રોગચાળો ફેલાયા બાદ હવે AMCનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે શહેરના સાત ઝોનમાં આવેલી હોસ્પિટલમાં તપાસ કરી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ સોલા સિવિલ, અસારવા સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી હતી. જે દરમિયાન કાર્યવાહી કરતા કેટલીક હોસ્પિટલોને સીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગને સરકારી હોસ્પિટલો એવી યુએન મહેતા હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા હતા.
અમદાવાદમાં AMCએ મચ્છરોના બ્રિડીંગને લઈને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન AMCના અધિકારીઓએ કેટલીક હોસ્પિટલને સીલ પણ કરી હતી. ત્યારે સાલ હોસ્પિટલમાં ચેકિંગ કરતા મચ્છરોના બ્રિંડીગ મળ્યા હતા. હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે મચ્છરરાજ જોવા મળ્યો. હોસ્પિટલમાં મચ્છરરાજના કારણે દર્દીઓના આરોગ્ય પર જોખમ લાગી રહ્યો છે.
યુ.એન. મહેતા હોસ્પિટલની નવી બિલ્ડીંગ કરાઇ સીલ
અમદાવાદના સિવિલના કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલની નવી બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી. મચ્છરનું બ્રિડીંગ હોવાના કારણે AMCએ હોસ્પિટલમાં તપાસ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં મચ્છરનું બ્રિડીંગ મળી આવતા AMCએ કાર્યવાહી કરીને હોસ્પિટલને સીલ કરી હતી. 2 દિવસ પહેલા પણ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન AMCએ નોટિસ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આજે ફરી એક વખત AMCએ ચેકિંગ કરીને યુ.એન.મહેતા હોસ્પિટલને સીલ કરી હતી.