બ્રેસ્ટ ફીડિંગ મા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે. ડિલીવરી પછી 6 મહિના સુધી માંએ બાળકને દૂધ પીવડાવવું જોઈએ. આ દરમ્યાન બાળકને ફોર્મ્યૂલા ડાયટ અને જ્યૂસ બિલ્કુલ આપવું નહીં. બાળક 6 મહિનાનું થાય ત્યાર પછી જ તેને ડાયટમાં ફળ, અનાજ આપવા જોઈએ. આ સિવાય માંને પણ ઘણાં રોગોથી બચાવે છે બ્રેસ્ટ ફીડિંગ. તો ચાલો જાણી લો.
માને ઘણાં રોગોથી બચાવે છે બ્રેસ્ટ ફીડિંગ
માના દૂધમાં એન્ટીબોડીઝ હોય છે જે બેક્ટેરિયા અને વાયરસથી લડવાની તાકાત વધારે છે. સાથે જ બાળકોમાં રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. પણ મા માટે પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું દવા સમાન છે.
બ્રેસ્ટ ફીડિંગથી માત્ર બાળકને જ ફાયદો થાય છે એવું નથી. બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માની ઘણી કેલરી બર્ન થાય છે જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.
બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન ઓક્સીટોસિન હોર્મોન રિલીઝ થાય છે. જે યૂટ્રસને ફરી પહેલાં જેવી અવસ્થામાં લાવવામાં મદદ કરે છે. સાથે જ ડિલીવરી બાદ યૂટ્રસમાંથી થતી બ્લીડિંગને ઘટાડે છે.
રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માને બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર થવાનો ખતરો ઘટે છે. સાથે જ ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.
ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ ફીડિંગથી માને ટાઈપ-2 ડાયાબિટીસ, રૂમેટાઈડ આર્થ્રાઈટિસ અને હાર્ટના રોગો સામે રક્ષણ મળે છે.
જે મહિલાઓને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય જો તેઓ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો બચાવ થાય છે.
બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન માના શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થાય છે. જે માને રિલેક્સ અને એકાગ્ર રાખવામાં મદદ કરે છે.