કોરોનાના કેસમાં છેલ્લા એક અઠવાડિયાથી ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, વેક્સિન લીધી હોવા છતાં પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે અનેક સવાલો માનવીના મનમાં સહજ રીતે થઈ રહ્યા છે.
વેક્સિન લીધા પછી પણ લોકો કેમ થઈ રહ્યા છે સંક્રમિત
બ્રેક-થ્રુ ઇન્ફેક્શન સંક્રમણ ફેલાવા માટે બન્યું જવાબદાર
વેક્સિન લીધા બાદની બેદરકારી પડી શકે છે મોંઘી
કોરોનાની ત્રીજી લહેર સમગ્ર વિશ્વમાં શરૂ થઈ ચૂકી છે. લોકો પણ વેક્સિન લીધા બાદ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે અને મનફાવે તેમ વર્તન કરી રહ્યા છે. જો કે તેમની આ બેદરકારીને લીધે તેઓ કોરોના અથવા ઓમિક્રોનનો ભોગ બની જતા હોય છે.ત્યારે સ્વાભાવિક રીતે સવાલ એ ઉભો થાય કે વેક્સિન લીધી હોય તેમ છતાં લોકો કેમ કોરોના સંક્રમિત થાય છે? શું વેક્સિન કારગર નથી ? કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે. આવા તમામ પ્રશ્નોના જવાબ માટે જાણી લો આ 5 પોઈન્ટસ...
1...વેક્સિન લીધી હોવા છતાં કોરોના સંક્રમિત થવું, જાણો કેમ?
અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (US-CDCP) સહિત અન્ય મોટી સંસ્થાઓના વૈજ્ઞાનિકો, નિષ્ણાતોએ રસી લીધી હોવા છતાં સંક્રમિત થવાની સ્થિતિને બ્રેક-થ્રુ ઈન્ફેક્શન(Breakthrough Infection) ગણાવ્યું છે. 'ધ કન્વર્સેશન' વેબસાઈટ અનુસાર, બ્રેક-થ્રુ ઈન્ફેક્શનથી પીડિત લોકો એ જ રીતે અન્ય લોકોને ચેપ લગાવી શકે છે, પરંતુ સામાન્ય ઈન્ફેક્શનવાળા લોકોની જેમ તે પણ કરી રહ્યા છે. કારણ કે આ લોકોના નાકમાં જેટલા જ વાઈરસ એકઠા થઈ શકે છે જેટલો રસી ન લેતા લોકોના નાકમાં હોય છે. એટલે કે, બંને પ્રકારના લોકો માટે પણ પરિસ્થિતિ સમાન છે.
2...બ્રેક-થ્રુ ઇન્ફેક્શન કેમ થઈ રહ્યું છે?
બ્રેક-થ્રુ ઇન્ફેક્શન વિશે બ્રિટનમાં તાજેતરના બે અભ્યાસો અનુસાર, કોરોના સામેની કોઈપણ રસી કોઈપણ રોગ સામે 100% રક્ષણ આપતી નથી. બીજું- અત્યારે વિશ્વભરમાં કોરોનાની રસી એવી છે, જેની અસર માત્ર 4-6 મહિના જ રહે છે. આ પછી, તેમના દ્વારા શરીરને આપવામાં આવતી રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે. 'ધ કન્વર્સેશન' અનુસાર, આ સ્થિતિને 'વેનિંગ ઇમ્યુનિટી'(Waning Immunity) કહેવામાં આવે છે. ત્રીજી વાત- જ્યારે વિશ્વભરમાં રસીનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો હતો, ત્યારે લગભગ તે જ સમયે કોરોનાનું સૌથી ઘાતક ડેલ્ટા વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યું હતું. આ કારણે વેનિંગ ઇમ્યુનિટીની ઝડપમાં વધારો થયો છે. આના પર ચોથી વાત- લોકોની બેદરકારી, જે પોતાનું સ્થાન ધરાવે છે. કારણ કે રસી લીધા પછી, માસ્ક ન લગાવવું, સામાજીક અંતર ન રાખવું, વારંવાર હાથ ન ધોવા જેવી બેદરકારી મોટાભાગના લોકોમાં જોવા મળી છે. આ પરિસ્થિતિઓને કારણે, રસી અત્યાર સુધી લોકોને કોરોનાથી રક્ષણ આપી શકી નથી.
3..તો શું હજી પણ ખતરો યથાવત છે?
બિલકુલ. કારણ કે હજુ પણ વેક્સિન મળવાનો અર્થ એ નથી કે કોરોના સંક્રમણ નહીં થાય. વિશ્વમાં સૌપ્રથમ પોતાની સમગ્ર વસ્તીને રસી આપનાર ઈઝરાયેલના ( Isarael) ડેટા દર્શાવે છે કે ત્યાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. અહીં ઇઝરાયેલ સાથે સંબંધિત વધુ બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ- ડિસેમ્બર-2020માં ત્યાં કોરોના રસીકરણ શરૂ થયું. 2021 ના મધ્ય સુધીમાં, ત્યાં લગભગ સમગ્ર વસ્તીને રસી આપવામાં આવી હતી. મતલબ કે તમામ લોકોને રસી આપ્યાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તેથી જ ત્યાં અગાઉ ઇમ્યુનિટી ઘટવાની સ્થિતિ પણ સર્જાઈ છે. બીજું, રસીકરણ પછીના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 87% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે. આનો અર્થ એ થયો કે જે લોકો મોટી ઉંમરના છે અને પહેલાથી જ અન્ય રોગોથી પીડિત છે તે લોકોમાં રસી લીધા પછી પણ વધુ જોખમમાં છે.
4... તો શું વેક્સિન લેવાનો કોઈ અર્થ નહીં ?
એવી વાત નથી કે કોરોનાની વેક્સિન ન લેવી જોઈએ પરંતુ કોરોનાનો સૌથી સંક્રામક ઓમિક્રોન વેરિઅન્ટે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા આવ્યો.ત્યાં તાજેતરમાં જ થયેલ અભ્યાસમાં સામે આવ્યું કે, ઓમિક્રોને તમામ પ્રકારના લોકોને ઝડપથી સંક્રમિત કર્યા છે. જેમણે કોરોનાની રસી લીધી છે તેમને અને જેમણે લેવાની બાકી છે તેમને પણ. પરંતુ માત્ર 28% ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું કારણ કે કોરોનાની રસીએ સંક્રમણને ફેફસા સુધી ન પહોંચવા દીધું. તો દેશના સૌથી વધુ કોરોના કેસ નોંધાયેલ મહારાષ્ટ્રથી સતત સમાચારો સામે આવી રહ્યા છે કે, ત્યાં 80થી 90 ટકા સંક્રમિત લોકોમાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા નથી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો નથી. જેમાં મોટા ભાગના લોકો એવા છે, જેઓએ વેક્સિન લઈ લીધી છે. એટલે કે વેક્સિન આપણને ગંભીર સંક્રમણથી બચાવી રહી છે.
આગળ શું સંભાવના છે ?
માત્ર 2 પ્રકારની સંભાવના દેખાઈ રહી છે. એક કે વેક્સિનની(Vaccine) અસર માત્ર 4-6 મહિનામાં ખતમ થઈ જાય છે. માટે તમામ લોકોએ બૂસ્ટર ડોઝ લેવો પડી શકે છે. કદાચ એવું પણ બને કે, એકથી વધુ વખત બૂસ્ટર ડોઝ લેવો પડે. તો આવનારા સમયમાં એવી અસરકારક વેક્સિન પણ આવી શકે છે જે કોરોનાની અસરને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે.