બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Parth
Last Updated: 12:21 PM, 27 August 2021
ગુજરાત રાજ્યને આગામી દિવસમાં નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે અને નવા મુખ્ય સચિવ તરીકે 1986ની બેચનાં IAS ઓફિસર પંકજ કુમારનાં નામ પર મહોર મારવામાં આવી છે. નોંધનીય છે કે 31મી ઓગસ્ટે રાજ્યનાં વર્તમાન મુખ્ય સચિવ મુકીમ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પંકજ કુમાર આગળનો કાર્યભાર સંભાળશે. ખાસ વાત છે કે VTV Gujaratiએ આ સમાચાર પર પહેલા જ અહેવાલ આપ્યા હતા અને ફરી એક વાર VTV Gujaratiનાં અહેવાલ પર મહોર વાગી છે.
1986ની બેચના IAS પંકજ કુમાર બન્યા ગુજરાતના નવા મુખ્ય સચિવ#BREAKING #PankajKumar @IASassociation @CMOGuj@vijayrupanibjp pic.twitter.com/15FZceue4N
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 27, 2021
નોંધનીય છે કે VTV Gujarati હંમેશા પોતાના વાચકોને સચોટ અને સૌથી પહેલા સમાચાર આપવામાં ફરીવાર અગ્રેસર રહ્યું છે. ગુજરાતનાં મુખ્ય સચિવનાં નિવૃત્તિને લઈને VTVએ અનેક અહેવાલો આપ્યા જેમાં આગામી મુખ્ય સચિવને લઈને VTVએ આપેલ માહિતી પર ફરી મહોર વાગી. આમ VTV વાચકોનાં વિશ્વાસ પર ફરી ખરું ઉતર્યું છે.
બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમ 31 ઓગસ્ટે સેવાનિવૃત થઈ રહ્યાં છે
ગુજરાત સરકારમાં બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમ હવે પોતાના પદ પરથી વિદાય લેવા જઈ રહ્યા છે. રાજ્યના ઈતિહાસમાં મુકીમ પહેલા એવા ચીફ સેક્રેટરી છે કે જેમને એક નહીં બે-બે વાર CSનાં પદે એક્સટેન્શન આપવામાં આવ્યું. મુકીમે વર્ષ 2019માં JN સિંઘ બાદ ચાર્જ સંભાળ્યો હતો અને તે બાદ તેઓ 2020માં જ ઓગસ્ટ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા, જોકે મુકીમ સરકારનાં ટોપ લીડર્સની ખૂબ જ નજીકના અધિકારી હોવાના કારણે તેમને બે વાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
કોણ છે પંકજ કુમાર?
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા છે.અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે.પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી પ્રભાવિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News