બ્રાઝિલના હેલ્થ રેગ્યુલેટરે ભારતમાં તૈયાર થયેલી કોવેક્સીનની નિકાસ કરવાની ના પાડી દીધી છે.
યોગ્ય માપદંડોને ફોલો ન કરવા ને લઈને સવાલ ઉભા કર્યા
બ્રાઝિલે આ રસીના 2 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો
બ્રાઝિલે ભારતમાં તૈયાર થયેલી કોવેક્સીનની નિકાસ કરવાની ના પાડી દીધી
યોગ્ય માપદંડોને ફોલો ન કરવા ને લઈને સવાલ ઉભા કર્યા
બ્રાઝિલે આ રસીના 2 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. ખાસ વાત એ છે કે અમેરિકા બાદ કોરોના વાયરસ મહામારીથી સૌથી અસરગ્રસ્ત દેશ છે બ્રાઝિલ. આ દેશે રસી તૈયાર કરવામાં યોગ્ય માપદંડોને ફોલો ન કરવા ને લઈને સવાલ ઉભા કર્યા છે. જો કે રસી નિર્માતા ભારત બાયોટેક તરફથી પ્રતિક્રિયા આવી છે. કંપનીએ કહ્યું કે બ્રાઝિલ સાથે ચર્ચા ચાલું છે.
ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસેસનું પાલન નહીં થવાના કારણે કોવેક્સીનને રિજેક્ટ કરી
રિપોર્ટ્સના અનુસાર બ્રાઝિલ સરકાર તરફથી જારી ગેજેટમાં કહેવામાં આવ્યું છે કે દવાઓ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસેસનું પાલન નહીં થવાના કારણે કોવેક્સીનને રિજેક્ટ કરી દીધી છે. આના પર એક મીડિયા ગ્રુપ સાથે વાત કરતા નિર્માતાએ કહ્યું કે તપાસ દરમિયાન જણાવવામાં આવેલી જરુરિયાતોને પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પૂર્તિ માટે સમયસીમાને લઈને બ્રાઝિલ એનઆરએની સાથે ચર્ચા જારી છે, આને જલ્દી ઉકેલવામાં આવશે.
બ્રાઝિલ સરકારે 2 કરોડ ડોઝનો ઓર્ડર રદ્દ નથી કર્યો
એક અન્ય રિપોર્ટ મુજબ હૈદરાબાદ સ્થિત કંપનીઓનું કહેવું છે કે તપાસ દરમિયાન સામે આવેલા મુદ્દા પર કામ જારી છે સાથે તેમણે દાવો કર્યો છે કે બ્રાઝિલ સરકારે 2 કરોડ ડોઝનો ઓર્ડર રદ્દ નથી કર્યો. ત્રીજા ચરણના ક્લિનીકલ ટ્રાયલમાં રસીના 81 ટકા આંતરીક અસરનો દાવો કર્યો છે. હાલમાં ભારતમાં કોવેક્સીન અને પૂર્ણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં તૈયાર થયેલી કોવિશીલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગત મહિને બ્રાઝિલ સરકારે કંપનીએ 2 કરોડ ડોઝના કરાર કર્યા હતા
ભારતમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કોવેક્સીન પર પ્રતિબંધની સાથે ઈમરજન્સી ઉપયોગની અનુમતિ જાન્યુઆરીમાં આપી હતી. આ રસીને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની સાથે મળીને તૈયાર કરી છે. કંપનીએ બ્રાઝિલમાં ઈમરજન્સી ઉપયોગની સાથે 8 માર્ચે આવેદન આપ્યું હતુ. ત્યારે ગત મહિને બ્રાઝિલ સરકારે કંપનીએ 2 કરોડ ડોઝના કરાર કર્યા હતા.