બ્રાઝીલે ભારત અને ચીનને વિઝાની જરૂરતો પર છૂટ આપી છે. આ પહેલા બ્રાઝીલના રાષ્ટ્રપતિએ વિક્સિત દેશો માટે આ જાહેરાત કરી હતી. જો કે એમને આ દેશોએ બદલામાં કોઇ છૂટ આપી નથી.
બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું કે બ્રાઝીલ અને ભારતના વેપારીઓને બ્રાઝીલ આવવા માટે વીઝાની જરૂર પડશે નહીં
એને પહેલા વિક્સિત દેશોને એની છૂટ આપી હતી પરંતુ હવે આ નીતિમાં વિસ્તાર કરવામાં આવ્યો છે
બોલ્સોનારો વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ બનેલા છે અને પોતાના મહિલા વિરોધી નિવેદનો માટે ઘણી વખત વિવાદમાં પણ રહ્યા છે
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ગુરુવારે કહ્યું કે ભારતના વેપારીઓને બ્રાઝીલ આવવા માટે વીઝાની જરૂર પડશે નહીં. એમને કહ્યું કે ચીન અને ભારતના લોકો માટે વીઝાની જરૂરીયાતને ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે બોલ્સોનારો વર્ષની શરૂઆતમાં સત્તામાં આવ્યા છે અને એમને ઘણા વિક્સિત દેશો માટે વિઝાની જરૂરીયાતોની કમી કરી છે.
તાજેતરમાં એ ચીનના પ્રવાસ પર હતા અને એમને જાહેરાત કરી હતી કે વિકાસશીલ દેશો માટે પણ એમની નીતિયોમાં વિસ્તાર કરવામાં આવશે. થોડાક દિવસ પહેલા જ બ્રાઝીલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પર્યટકો અને વેપારીઓને વિઝામાં છૂટ આપી હતી. જો કે એ જેશોએ બ્રાઝીલને એવી કોઇ છૂટ આપી નથી.
જણાવી દઇએ કે બોલ્સોનારોને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવાના વાયદાના કારણે જીત મળી હતી. એમને ખૂબ જ અંતરથી ચૂંટણી જીતી હતી. જો કે એ નસ્લવાદી, સમલૈગિંક વિરોધી અને મહિલા વિરોધી ટિપ્પણીઓના કારણથી સામાન્ય રીતે ચર્ચામાં રહે છે. ફ્રાસંના રાષ્ટ્રપતિની પચ્ની પર ટિપ્પણી કરવાના કારણેથી એમને ટીકા થઇ હતી.