26 જાન્યુઆરી 2020ના ગણતંત્ર દિવસના અવસરે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારોને મુખ્ય અતિથિ બનાવવાને લઈને વિવાદ સર્જાયો છે. જેને લઈને સાંસદ બિનોએ વિશ્વમે લખ્યું કે પ્રધાનમંત્રી મોદી એક એવા વ્યક્તિનું સ્વાગત કરવા જઈ રહ્યા છે જેમની નીતિ અને વિચારો કટ્ટરતા તથા મહિલાઓની સાથેના ભેદભાવ પર આધારિત છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ બનાવવાને લઈને વિવાદ
26 જાન્યુઆરી 2020ના દિવસે બનશે મહેમાન
જેયર મેસિયાસ બોલસોનારોએ WTOમાં ભારતનો વિરોધ કર્યો
સીપીઆઈના રાજ્યસભાના સાંસદ બિનોએ વિશ્વમ બ્રાઝિલી રાષ્ટ્રપતિને ચીફ ગેસ્ટ બનાવવાને લઈને નારાજ થયા હતા અને સાથે તેઓએ આ દિવસે થનારા ભવ્ય કાર્યક્રમમાં વિરોધની વાત કરી હતી. વિશ્વમે પીએમ મોદીને પત્ર લખીને યાદ અપાવ્યું કે ક્યારેક જેયર મેસિયાસ બોલસોનારોએ WTOમાં ભારતનો વિરોધ કર્યો હતો. સાંસદ બિનોએ વિશ્વમને લખ્યું કે પીએમ મોદી એક એવા વ્યક્તિનું સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે તેની નીતિ અને વૈચારિક કટ્ટરતા તથા મહિલાઓના ભેદભાવ પર આધારિત છે.
દેશના સંઘર્ષશીલ ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવી રહેલી મદદનો પણ વિરોધ
પત્રમાં સીપીઆઈના સાંસદે સ્પષ્ટ રીતે લખ્યું છે કે તેઓ બ્રાઝિલી રાષ્ટ્રપતિને ચીફ ગેસ્ટ બનાવવાને લઈને સમારોહમાં સામેલ થશે નહીં. તેઓએ લખ્યું છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારોએ એમેઝોનના જંગલોમાં લાગેલી આગના પ્રત્યે ઉદાસીનતા અને નિષ્ક્રિયતા દેખાડી હતી. તેઓએ લખ્યું કે દેશના સંઘર્ષશીલ ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવી રહેલી મદદનો પણ વિરોધ જેયર મેસિયાસ બોલસોનારોએ WTOમાં કર્યો હતો.
રાષ્ટ્રપતિના રૂપમાં બોલસોનારોની આ પહેલી ભારત યાત્રા
આ યાત્રામાં તેઓ 8 મંત્રીઓ, શીર્ષ અધિકારીઓ અને એક મોટા વ્યાપારિક પ્રતિનિધિમંડળની સાથે દિલ્હી પહોંચશે. આ સમયે ભારત અને બ્રાઝિલના 15 કરાર પર હસ્તાક્ષર કરશે. 26 જાન્યુઆરીએ 71માં ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ રહેશે. આ પહેલાં 11મી બ્રિક્સ શિખર સંમેલનમાં પીએમ મોદીએ બોલસોનારોને ગણતંત્ર દિવસ સમારોહનું આમંત્રણ અપાયું હતું જેને તેઓએ સ્વીકાર્યું હતું.