બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે, AstraZenecaની COVID-19 વેક્સિન ઝડપથી મોકલે.
બ્રાઝીલના રાષ્ટ્રપતિનો પ્રધાનમંત્રી મોદીને પત્ર
વેક્સિન ઝડપથી મોકલવા કરી અપીલ
વેક્સિન મુદ્દે વારંવાર આપતા રહે છે નિવેદન
બોલ્સોનારો સરકાર પર વેક્સિનેશન શરૂ કરવા માટે સતત દબાણ વધી રહ્યું છે. તેમના આલોચકોનું કહેવું છે કે, ક્ષેત્રિય સાથીઓથી દેશ પાછળ ચાલી રહ્યો છે અને સરકાર સામે સવાલ કરવામાં આવી રહ્યો છે કે, વેક્સિનમાં મોટું કેમ કરવામાં આવી રહ્યું છે.
ઝડપથી વેક્સિન મોકલવાની આશા
બોલ્સોનારોએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "અમે ભારતના રસીકરણ કાર્યક્રમને જોખમમાં મૂક્યા વિના બ્રાઝિલના રાષ્ટ્રીય રોગપ્રતિકારક કાર્યક્રમના ઝડપી અમલ માટે 20 મિલિયન ડોઝની સપ્લાય કરવાની અપેક્ષા રાખીએ છીએ. હકીકતમાં, તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર Fiocruz મેડિકલ સેન્ટર અનુસાર, રસી (active ingredients)તૈયાર કરવા માટે જરૂરી ઘટકો આ મહિનાના અંત સુધી ઉપલબ્ધ રહેશે નહીં.
વેક્સિન મુદ્દે વારંવાર આપતા રહે છે નિવેદન
આપને જણાવી દઇએ કે, બોલ્સાનારોનું કોરોના વેક્સિન વિરૂદ્ધ હુમલો યથાવત છે. જો કે, તેમણે સંદેહ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમેરિકન કંપની Pfizer અને તેમની જર્મન પાર્ટનર BioNTechની વેક્સિનથી લોકો મગરમચ્છ અથવા દાઢીવાળી મહિલીમાં તબદીલ થઇ શકે છે. નોંધનીય છે કે, બોલ્સાનારોએ મહામારીની શરૂઆતથી જ તેની ગંભીરતા નકારી છે.