મોરબીમાં અમૃતિયાનો ગુસ્સો કલેક્ટર પર ફૂટી નિક્ળો હતો, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કલેક્ટરને કહ્યું, તમને રૂપિયા ખાવામાં રસ છે
કાંતિ અમૃતિયાના આક્ષેપોનો જવાબ કેમ નહી?
કલેક્ટરને આ શું કહી ગયા અમૃતિયા?
અમૃતિયાનો ગુસ્સો કલેક્ટર પર કેમ ફુટ્યો?
કોરોનાકાળ દરમિયાન તમામ જિલ્લામાં કપરી પરિસ્થિત જોવા મળી રહી છે. મોરબીમાં પણ કંઈ આવું જ છે. દર્દીઓની સમસ્યાને લઈ નેતા અને અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઇ છે. અમૃતિયાનો ગુસ્સો કલેક્ટર પર ફુટી નિક્ળો હતો.
પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કલેક્ટરને કહ્યું, તમને રૂપિયા ખાવામાં રસ છે. તેમજ તેમણે કલેક્ટરને સંભળાવ્યું કે, તમને 10 લાખ લઈને લાઈસન્સ આપવામાં જ રસ છે. તમે કોની સામે બોલો છો એ તમને ખબર છે? પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને કલેક્ટર જે.બી.પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
દર્દીઓને મુશ્કેલીને લઈને કાંતિ અમૃતિયા કલેક્ટર સાથે વાત કરી રહ્યાં હતાં. કલેક્ટરને મર્યાદામાં રહીને વાત કરવાની સલાહ આપી હતી. પૂર્વ ધારાસભ્યના કલેક્ટર પર સીધા આરોપોથી સરકારી અધિકારીઓ સ્થળેથી રવાના થઈ ગયા હતાં. કાંતિ અમૃતિયાએ 10 લાખની વાત કરી પછી કલેક્ટર પણ કશું જ બોલ્યા ન હતાં.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3575 કેસ નોંધાયા છે અને 2217 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,05,149 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 22 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4620 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.