અમેરિકાના લાસ વેગાસની અદાલતે એક્ટ્રેસ અને મોડલ શાંટેલ ગ્યાકેલોનને 220 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
પીનટ બટર ખાવાથી થઇ હતી એલર્જી
એલર્જીના કારણે એક્ટ્રેસને થયુ બ્રેન ડેમેજ
8 વર્ષથી પથારીવશ છે આ એક્ટ્રેસ
શાંટેલ ગ્યાકેલોન છેલ્લા 8 વર્ષથી પેરાલાઇઝ્ડ છે અને માતા-પિતાના ડાયનિંગરૂમમાં એક બેડ પર પોતાની લાઇફ વિતાવી રહી છે.
પીનટ બટરથી એલર્જી
ફોક્સ ન્યૂઝની એક ખબર અનુસાર શાંટેલ પીનટ બટર અને બિસ્કીટ ખાધા બાદ બ્રેન ડેમેજનો શિકાર બની હતી. તેની જ એક સાથીએ બિસ્કીટ ખવડાવ્યુ હતુ. આ વાત 2013ની છે અને તે સમયે શાંટેલ લાસ વેગાસ શહેરમાં જ મેજીક ફેશન ટ્રેડ શોમાં મોડલિંગ કરી રહી હતી.
શોકમાં જતી રહી શાંટેલ
શાંટેલ ગ્યેકેલોનને આ સમસ્યા એટલા માટે થઇ કે તેને પીનટ બટરથી એલર્જી હતી. જેના કારણે તે એનાફાયલેક્ટિક શોકમાં જતી રહી હતી. કોઇ માણસને એલર્જીના રિએક્શન બાદ એનાફાયલેક્ટિક શોકની સ્થિતિ બની જાય છે. આ એક દુર્લભ મામલો છે અને તેનો ઇલાજ બધી જગ્યાએ નથી મળતો. આ સ્થિતિમાં માણસને તરત જ epinephrine નામની દવા મળવી જોઇએ પરંતુ શાંટેલને આ દવા તરત નહોતી મળી શકી.
સમય પર ન મળ્યો ઇલાજ
કોર્ટે શાંટેલની વકીલની તે દલીલને માની હતી કે તેને સમય પર દવાઓ ન મળી શકી જે મળવી જોઇતી હતી. છેલ્લા 8 વર્ષથી તે પથારીવશ છે અને તેમના પિતાનું કહેવુ છે કે આ પૈસાથી શાંટેલને ઇલાજ મળી શતે અથવા આવનારા વર્ષોમાં તે પોતાનો ઇલાજ શરૂ રખાવી શકે.
હોર્મોનલ પ્રક્રિયાનો હિસ્સો છે epinephrine
શાંટેલને જે સમસ્યા આવી તેનું એક કારણ એલર્જી રિએક્શનના તરત બાદ ખંજવાળ અને નાકમાંથી પાણી આવવા જેવી સમસ્યા થઇ હતી પરંતુ તેના કારણકે એનાફાયલેક્સિસ પણ થઇ શકે છચે. જેમાં બ્લડ પ્રેશર ઘટી જાય છે. શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ શકે છે.