કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરના વિવાદિત નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે કોંગ્રેસે પોતાનું બ્રહ્માસ્ત્ર ઉતાર્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યર દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચ્યા હતા. મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે ચલો જોઇએ કોનો હાથ મજબૂત છે, આપણો કે કાતિલનો.
શાહીન બાગમાં મણિશંકર ઐય્યરે કહ્યું કે, જે હુ તમારા માટે કરી શકુ છું તે હું કરવા તૈયાર છું. હું તમને વચન આપુ છું. હુ તમારા બધાની સામે વચન આપુ છું. જે કાંઇ પણ સહારો તમે મારી પાસેથી ઇચ્છો છો.. હું અમે નથી કહી રહ્યો, હું જ કહી રહ્યો છું. મારી પાસેથી જે ઇચ્છો છો તે હુ આપવા તૈયાર છું, અને જે પણ કુર્બાની આપવી હોય, તેમાં પણ સામેલ થવાતૈયાર છું. હવે જોઇએ કોનો હાથ મજબૂત છે, આપણો કે કાતિલ નો?
જો કે શાહીન બાગમાં મણિશંકર ઐય્યરે કોઇનું નામ લીધું નહોતું, પરંતુ નામ લીધા વગર આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકર ઐય્યરના નિવેદન પર ભાજપ કર્ણાટકે પોતાના ટ્વિટ પર લખ્યું છે કે ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર પ્રતિનિધિ મણિશંકર ઐય્યર દિલ્હીના શાહીન બાગમાં CAA વિરુધ્ધના પ્રદર્શનમાં સામેલ થયા. એવું લાગે છે કે કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુધ્ધ પોતાનું બ્રહ્માસ્ત્ર ઉતારી દીધું છે.