કરણ જોહરને ફિલ્મ બ્રહ્માસ્ત્રના બોક્સ ઓફિસના આંકડાઓ વિશે પણ અઢળક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને કારણ જોહરે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
બ્રહ્માસ્ત્ર ફિલ્મની કમાણીના આંકડા ખોટા છે એ વાત પર બોલ્યા કરણ જોહર
ડિજિટલ દુનિયામાં ડેટાની આટલી મોટી હેરફેર કરવી મુશ્કેલ
રિવ્યુ મહત્વના છે પણ સામે આંકડા પણ મહત્વના છે
ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થયાને ગુરુવારે ત્રણ અઠવાડિયા પૂરા થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 260 કરોડનો આંકડો પાર કરી જશે અને ફિલ્મની ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી લગભગ 410 કરોડ રૂપિયા થઈ જશે. જણાવી દઈએ કે પહેલાથી જ આ ફિલ્મના કલેક્શન વિશે લોકો ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે અને ફિલ્મની કમાણીના આંકડા ખોટા છે એવા આરોપો લગાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોએ આવા આરોપો લગાયવ્ય છે અને હવે ફિલ્મના નિર્માતાઓમાંના એક કરણ જોહરે આ આરોપો પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.
#Brahmastra has emerged HIGHEST GROSSER OF THE YEAR ( 2022) .. Film total collection till now stands ₹ 254.50 cr nett ( All Languages ), it has breached #TKF LT biz of 252 cr in India..
કરણ જોહરે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના મેકિંગ સેશનમાં હાજરી આપી હતી અને ફિલ્મને લગતા ઘણા મુદ્દાઓ વિશે ખૂલીને વાત કરી હતી, જો કે એ સમયે એમની સાથે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ ચર્ચામાં જોડાયા હતા.આ સેશન દરમિયાન કરણ જોહરને ફિલ્મ બ્રહ્માસ્ત્રના બોક્સ ઓફિસના આંકડાઓ વિશે પણ અઢળક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને કારણ જોહરે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ડિજિટલ દુનિયામાં ડેટાની આટલી મોટી હેરફેર કરવી મુશ્કેલ
કરણ જોહરને પૂછવામાં આવ્યું હતું કે 'બ્રહ્માસ્ત્ર'ની કમાણીના આંકડાઓને લઈને સોશિયલ મીડિયા પર નકલી હોવાના ઘણા આરોપો લાગ્યા છે અને ઘણા બોલીવુડ સિતારોએ પણ આ આંકડા ખોટ છે એ વાતને સ્પોર્ટ કર્યું હતું. કારણ જોહરે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, 'આપણે બધા જાણીએ જ છીએ કે આજની ડિજિટલ દુનિયામાં ડેટાની આટલી મોટી હેરફેર કરવી મુશ્કેલ જ નથી પણ લગભગ અશક્ય છે. આજકાલ દરેક ડેટાને ટ્રૅક કરી શકાય છે અને જે કોઈ એ ડેટાને ખોટા સાબિત કરવા માંગે છે તે લોકો ડેટાને સરળતાથી ટ્રૅક કરીને સચ્ચાઈ લોકો સામે લાવી શકે છે.'
બીજો અને ત્રીજો ભાગ બનાવવો સરળ નથી
ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર 'ના ડિરેક્ટર અયાન મુખર્જીએ પણ આ વીશે વાત કરતાં કહ્યું હતું કે, ' બ્રહ્માસ્ત્ર બનાવવાની આ આખી સફર ખૂબ જ પડકારજનક રહી છે અને એ બનાવતા સમયે અમે દરરોજ એક નવા અવરોધનો સામનો કરતા હતા. આ પછીના પણ આ વાર્તાનો બીજો અને ત્રીજો ભાગ બનાવવો વિચારો છો એટલો સરળ નથી. આ સાથે જ પ્રોડ્યુસર કરણ જોહરે અયાનમુખર્જીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, 'ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' પછી અયાન બીજી કોઈ પણ કોમર્શિયલ ફિલ્મ બનાવી ખૂબ પૈસા કમાઈ શકતો હતો અને અઢળક બનાવીને પોતાનું સ્ટેટસ બદલી શકતો પણ એક ફિલ્મમેકર તરીકે તેને એવું ન કર્યું.
રિવ્યુ મહત્વના છે પણ સામે આંકડા પણ મહત્વના છે
ફિલને મળેલ નેગેટિવ રિવ્યુ વિશે વાત કરતાં અયાન મુખર્જીએ કહ્યું હતું કે, ' કોઈ પણ ફિલ્મ માટે રિવ્યૂનું ઘણું મહત્વ હોય છે પણ અંતે જે ધ્યાનમાં આવે છે અને વધુ મહત્વ રાખે છે એ છે આંકડા, જો કે ફિલ્મ હજુ થિયેટરોમાં ચાલી રહી છે અને ફિલ્મ વિશે લોકોની જે પ્રતિક્રિયા છે એ સમજતા અને તેનું વિશ્લેષણ કરવામાં મને થોડો વધુ સમય લાગશે.