બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિમૂર્તિઓને આ ત્રણ દેવોને બધા જાણે છે. બ્રહ્માજી સૃષ્ટીના સર્જન કહેવાય છે. તો ભગવાન વિષ્ણુને સંસારના પાલનહાર માનવામાં આવે છે અને ભગવાન શિવજીને દેવોના દેવ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને શિવજીની દરેક જગ્યાએ પૂજા કરવામાં આવે છે પરંતુ શું તને જાણો છો કે બ્રહ્મમાજીની પૂજા ક્યાંય કરવામાં નથી આવતી. આજે અમે તમને જણાવશું કે કેમ બ્રહ્માજીની પૂજા કરવામાં નથી આવતી. તેની પાછળનું રહસ્ય શું છે.
બ્રહ્માજી સૃષ્ટીના સર્જન સાથે વેદોના દેવ પણ કહેવાય છે. તેમણે જ આપણને ચાર વેદોનું જ્ઞાન આપ્યું છે. તેમની શારીરિક રચના પણ અલગ છે. ચાર ચહેરા અને ચાર હાથ ચારે હાથોમાં એક-એક વેદ લઇને બ્રહ્માજી તેમના ભક્તોનો ઉદ્રાર કરે છે પરંતું બ્રહ્માજીની પૂજા કરવામાં આવતી નથી.
પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીના મનમાં એક વખત ધરતી પર યજ્ઞ કરવાનો વિચાર આવ્યો યજ્ઞ કરવા જગ્યાની શોધ માટે તેમણે પૃથ્વી પર તેમના હાથમાંથી એક કમળ મોકલ્યું એવું કહેવાય છે કે જે જગ્યાએ કમળ પડ્યું તે જગ્યાએ બ્રહ્માજીનું એક મંદિર બન્યું તે જગ્યા રાજસ્થાનના પુષ્કરમાં શહેરમાં છે. ત્યાં એક તળાવનું પણ નિર્માણ થયું. પુષ્કરમાં બહ્માજીનાન દર્શનાર્થે લાખો શ્રધ્ધાળુઓ આવે છે. દરવર્ષે કાર્તિકી પૂર્ણીમાના દિવશે અહીં મેળો ભરાય છે જે પુષ્કરના મેળા તરીકે પ્રખ્યાત છે પરંતુ અહીં બ્રહ્માજીની પૂજા કોઇ કરતું નથી.
માન્યતાઓ મુજબ બ્રહ્માજી પૂજા માટે પુષ્કર આવ્યા પણ તેમના પત્ની સાવિત્રી સમયસર ન પહોચી શક્યા બધા દેવી-દેવતાઓ તેમની રાહ જોતા હતા અને શુભ મુર્હુત પણ નિકળી જાય એમ હતુ જેથી બ્રહ્માજીએ ગાયના મુખથી સાવિત્રીજીને પ્રગટ કર્યા અને તેમની જોડે લગ્ન કરી યજ્ઞ પૂર્ણ કર્યો. જ્યારે સાવિત્રીજી પહોચ્યા અને બ્રહ્માજી જોડે બીજી સ્ત્રી જોઇ તો તેઓએ ક્રોધીત થઇ બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે ક્યારેય ધરતી પર તમારી પૂજા નહીં થાય. જ્યારે બધા દેવતાઓએ શ્રાપ પાછો લેવા વિનંતી કરી તો તેમણે કહ્યુ કે માત્ર પુષ્કરમાં જ તેમની પૂજા થશે. બીજી કોઇ જગ્યાએ તેમનું કોઇ મંદિર બનાનશે તો તેનો વિનાશ થઇ જશે.
બ્રહ્મપૂરાણ અનુસાર બ્રહ્માજી પુષ્કરના આ સ્થાને 10 વર્ષ વસવાટ કરી બ્રહ્માજીએ સૃષ્ટીની રચના કરી. પુષ્કરમાં માતા સાવિત્રીની ઘણી માન્યતા છે. માનવામાં આવે છે કે ક્રોધ શાંત થયા બાદ માતા સાવિત્રી પણ અહીં પહાડોમાં તપસ્યામાં લીન થઇ ગયા અને આજે પણ માતાજી અહીં રહીને ભક્તોની આશા પૂર્ણ કરે છે તેમને સૌભાગ્ય દેવી પણ કહેવામાં આવે છે.