બીઆર ચોપરાની મહાભારત ફરી એક વખત દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઇ રહી છે, એવામાં સોશ્યલ મીડિયા પર તેણે સંબંધિત ઘણી પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં ઓડિન્યસ ન તો માત્ર મહાભારતને લૉકડાઉનની વચ્ચે પસંદ કરી રહ્યા છે પરંતુ સાથે જ જૂના દિવસોને યાદ કરી રહ્યા છે.
એવામાં અમે તમને જણાવીએ કે, મહાભારતમાં યુધિષ્ઠિરનું કેરેક્ટર પ્લે કરનારા ગજેન્દ્ર ચૌહાણના કેટલાક કિસ્સાઓ વિશે, આમ તો જણાવી દઇએ કે, ગજેન્દ્રના આ કિસ્સાઓ સીધા મહાભારતની સાથે જોડાયેલા છે.
મહાભારતના યુધિષ્ઠિરનું કેરેક્ટર પ્લે કરનારા ગજેન્દ્ર ચૌહાણે મહાભારતની સફળતાને યાદ કરતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, આ દરમિયાન મોટા-મોટો ઉદ્યોગપતિથી લઇને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સુધીના લોકોને આમંત્રિત કર્યા હતા. એવામાં એક કિસ્સાને યાદ કરતા ગજેન્દ્રએ કહ્યુ હતુ કે, એક વખત મારા ઘરે બેલ વાગ્યો, મેં દરવાજો ખોલ્યો તો એક સારા ઘરના વ્યકિત સામે ઉભા હતા. તેણે કહ્યુ કે તેઓ કોલકાતાથી આવ્યા છે અને તેમના પિતા બિમાર છે તેઓ એમ્બુલન્સમાં ઘરની બહાર જ છે.
ગજેન્દ્ર ચૌહાણે આગળ કહ્યુ કે, ''તે વ્યકિતએ મને તેમના પિતાના માથા પર હાથ રાખવાની વાત કરી જેથી તેઓ ઠીક થઇ જાય, અને જો ના થાય તો પણ તેમણે સંતોષ રહે કે મરતા પહેલા ધર્મરાજ યુધિષ્ઠિરે તેમણે સ્પર્શ કર્યો. મને આ વાત અજીબ લાગી પરંતુ તેમના વારંવાર કહેવા પર મેં માની લીધુ. હું તેમના પિતા મળ્યો અને તેમના માથા પર હાથ રાખ્યો. નસીબ તો જુઓ, થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી તેઓ એકદમ ઠીક થઇ ગયા અને વારંવાર મારું અહેસાન માની રહ્યા હતા.''
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ લોકડાઉનને કારણે બધી ફિલ્મ્સ અને સિરિયલ્સના શૂટિંગ બંધ થઇ ગયા છે. આવામાં લોકોને મનોરંજન પૂરું પાડવા માટે 90ના દશકની લોકપ્રિય સિરિયલને ફરી ટેલિકાસ્ટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ‘રામાયણ’, ‘મહાભારત’ બાદ હવે શાહરુખની ‘સર્કસ’ અને ડિટેક્ટિવ પર આધારિત ‘બ્યોમકેશ બક્ષી’ સિરિયલ રી-ટેલિકાસ્ટ કરવામાં આવશે.