નવા નાણાકીય વર્ષમાં 175 લાખ કરોડ એકત્ર કરવાનું સરકારનું લક્ષ્યાંક
2022 માં એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ સરકારની યોજના
કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષમાં 175 લાખ કરોડ રુપિયા એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે, જે ગત વર્ષની તુલનામાં લગભગ 35 હજાર કરોડ ઓછા છે. ગત બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 2.1 લાખ કરોડની રકમ એકત્ર કરવાની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને બજેટમાં જણાવ્યું કે વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રુપિયા ભેગા કરવાની સરકારની યોજના છે. કેટલીક સરકારી કંપનીઓમાં વિનિવેશ અંગે નિર્ણય લેવાયો છે.
બીપીસીએલ, એર ઈન્ડીયા, કોનકોર અને એસસીઆઈ વેચવાનો તખતો તૈયાર
નાણાપ્રધાને જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં બીપીસીએલ, એર ઈન્ડીયા, કોનકોર અને એસસીઆઈમાં સરકારી હિસ્સેદારી વેચવાનો નિર્ણય લેવાઈ શકે છે. 2022 માં એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ સરકારની યોજના છે. આઈડીબીઆઈમાં પણ સરકારી હિસ્સેદારી વેચી દેવામાં આવશે. શેરબજારની તેજી જોતા કેન્દ્ર સરકાર સીપીએસઈમાં તેની હિસ્સેદારી પણ ઓફર ફોર સેલ દ્વારા વેચી શકે છે. ખાનગીકરણની બીજી પણ કેટલીક યોજના પર કામ ચાલી રહ્યું છે.
બીપીસીએલમાં પોતાની 52.98 ટકા હિસ્સેદારી વેચવાથી સરકારને 60,000 કરોડ મળી શકે છે. બીપીસીએલ દેશની બીજી મોટી સરકારી તેલ કંપની છે તે હંમેશા સરકારને નફો રળી આપતી હોય છે. બીપીસીએલના દેશભરમાં લગભગ 17,138 પેટ્રોલ પંપ છે. સરકારની પાસે બીપીસીએલના 114.91 કરોડ શેર છે. સરકારે બીપીસીએલના રણનીતિક ખરીદારને કંપનીનું મેનેજમેન્ટ પણ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી દીધી છે.