રાજધાની લખનઉના મડિયાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આયુષ્માન ઉર્ફે જોયાની હત્યા કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. હત્યાના આરોપો હેઠળ આયુષ્માનના પરિવારજનોની સાથે રહેતા યુવક ફેઝાનની સામે હત્યાની કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફેઝાનની શોધખોળ કરી રહી છે. જો કે, હજી સુધી પોલીસે ફેઝાનની ધરપકડ કરી નથી.
લખનઉમાં જેન્ડર ચેન્જ કરનાર યુવકની કરાઈ હત્યા
પોલીસે આરોપી સામે હત્યાની કલમ મુજબ ફરિયાદ નોંધી
આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર
ઓપરેશન કરી બન્યો હતો જોયા
અત્યાર સુધીની તપાસમાં આ તમામ મામલાના ખુલાસા થયા છે. પોલીસ આ હત્યા પાછળ પ્રેમ સંબંધને તપાસી રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, આયુષ્માને ઓપરેશનની મદદથી પોતાનુ જેન્ડર ચેન્જ કરાવ્યું હતુ અને તે મહિલાઓની જેમ રહેતો હતો. આયુષ્માન જોયા બન્યાં બાદ ફેઝાની સાથે મડિયાઓ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત પલટન છાવણીમાં ભાડાનો રૂમ લઇને રહેતો હતો. મડિયાવ સ્પેક્ટર વીર સિંહે માહિતી આપતા જણાવ્યું કે જોવામાં આ પ્રતિત થઇ રહ્યું હતુ કે આયુષ્માને પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું છે અને ઓળખની સાથે ભાડાના મકાનમાં એકસાથે રહેતા હતા. ઘટનાસ્થળેથી દારૂની બોટલો મળી આવી છે. એવુ પ્રતિત થઇ રહ્યું છે કે બંને વચ્ચે ઝગડો થયો અને આ દરમ્યાન મારપીટમાં આયુષ્માનને ઈજા થઇ હતી અને ફેઝાન ફરાર થયો હતો. હત્યા કર્યા બાદ ઘટનાને આત્મહત્યા પુરવાર કરવા માટે ફેઝાનની હાથની નસ કાપવામાં આવી છે.
પરિવાર સાથે બનાવ્યું અંતર
પોલીસે જણાવ્યું કે આયુષ્માન રાજાજીપુરમનો રહેવાસી છે અને ઘણા વર્ષો પહેલાં તેની ઓળખાણ કેટલાંક કિન્નરો સાથે થઇ હતી. ત્યારબાદ તેણે પોતાનું ઓપરેશન કરાવ્યું અને જેન્ડર ચેન્જ કરાવ્યું. જેન્ડર ચેન્જ કરાવ્યાં બાદ તે કિન્નરોના ગ્રુપમાં સામેલ થઇ ગયો. આ ઘટના બાદ આયુષ્માનનો પરિવાર સાથે સંબંધ તૂટી ગયો હતો. જો કે, પરિવારજનો આવુ કરવાની મનાઈ કરતા હતા. તેમ છતાં આયુષ્માન માન્યો નહીં.