ગુજરાતમાં ચીનનો વિરોધ દિવસે નથી વધતો એટલો રાતે અને રાતે નથી વધતો એટલો દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરામાં ફરસાણની દુકાના વેપારીએ અનોખો વિરોધ આદર્યો છે.
વડોદરાના ફરસાણના વેપારીની અનોખી ઓફર
ચાઇનીઝ ટીકટોક એપ ડિલિટ કરવા પર જલેબી ફ્રી
નિઝામપુરમાં આવેલ મયુર ફરસાણ દ્વારા જાહેરાત
ચીન અને ભારતની વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ અને સૈન્ય અથડામણમાં શહીદ થયેલા 20 જવાનોની શહાદત બાદ ચીન પ્રત્યે લોકોમાં રોષ છે. લોકો ચીન પ્રત્યેનો રોષ અલગ અલગ રીતે પ્રગટ કરી રહ્યાં છે. વડોદરાના ફરસાણના વેપારીએ ચીનનો અનોખી રીતે વિરોધ શરૂ કર્યો છે.
જી હા આ મીઠાઇના વેપારીએ ચાઇનીઝ એપ ડિલિટ કરવા બદલ ફ્રીમાં જલેબી આપવાની ઓફર રજૂ શરૂ કરી છે. નિઝામપુરમાં આવેલ મયુર ફરસાણના માલિકે તેની દુકાન પર ઓફરનું બોર્ડ લાગવ્યું છે.