રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કેટલાંક એવાં વીડિયો પણ સામે આવ્યાં છે કે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની વિદ્યાર્થીઓએ સંકટની આ ઘડીમાં પોતાને સુરક્ષિત રીતે યુક્રેન સરહદ સુધી પહોંચાડવા માટે તિરંગાનો સહારો લીધો છે અને 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા છે.
યુક્રેનમાં ભારત અને પાકિસ્તાનના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
પાકિસ્તાની વિદ્યાર્થીઓએ યુક્રેન સરહદ સુધી પહોંચાડવા માટે તિરંગાનો સહારો લીધો
તિરંગાના કારણે જ અમારે રસ્તામાં કોઈ જ સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો
યુક્રેનમાં ભારત, પાકિસ્તાન અને એશિયાના અન્ય દેશોના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં મેડિકલ અને અન્ય વિષયોનો અભ્યાસ કરે છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલા બાદ ત્યાં ભણતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ત્યારે અંતે યુક્રેનમાં સ્થિતિ વણસ્યા બાદ ભારત સરકાર 'ઓપરેશન ગંગા' દ્વારા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાંથી સતત બહાર કાઢી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને મોલ્ડોવાની સરહદે પહોંચી રહ્યાં છે કે જ્યાંથી ભારત તેઓનું રેસ્ક્યુ કરે છે.
તિરંગાએ તુર્કી-પાકિસ્તાનના વિદ્યાર્થીઓને પણ મદદ કરી
કેટલાંક એવાં વીડિયો સામે આવ્યાં છે કે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની વિદ્યાર્થીઓએ સંકટની આ ઘડીમાં પોતાને સુરક્ષિત રીતે યુક્રેન સરહદ સુધી પહોંચાડવા માટે તિરંગાનો સહારો લીધો છે અને 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તિરંગાએ તેમને યુક્રેનમાંથી બહાર નીકળવામાં ઘણી મદદ કરી છે. પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓએ પણ સરહદ સુધી પહોંચવા માટે તિરંગાનો સહારો લીધો હતો.
#WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray...Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisispic.twitter.com/vag59CcPVf
યુક્રેનથી રોમાનિયાના બુખારેસ્ટ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓએ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, 'અમે અમારી બસની આગળ તિરંગો લગાવ્યો હતો, જેના કારણે અમને રસ્તામાં કોઈ જ સમસ્યાનો સામનો ન હતો કરવો પડ્યો. અમે પડદા અને સ્પ્રે કલરથી તિરંગો બનાવ્યો હતો. આ તિરંગાના કારણે જ અમારે રસ્તામાં કોઈ જ સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો. બોર્ડર સુધી પહોંચવામાં દેશનાં ધ્વજએ અમને ઘણી મદદ કરી છે. એટલું જ નહીં, તિરંગો પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓ માટે પણ ઘણો મદદગાર સાબિત થયો.
પાકિસ્તાનના વિદ્યાર્થીઓને પણ બોર્ડર સુધી પહોંચાડવામાં આવ્યાં
અનેક રિપોર્ટ એવાં સામે આવ્યાં છે કે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓના હવાલાથી એવું કહેવામાં આવ્યું છે કે, તેઓએ બોર્ડર સુધી પહોંચવામાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની મદદ કરી છે. તેઓને પોતાની કારમાં બેસાડીને બોર્ડર સુધી પહોંચાડ્યા છે. અનેક એવાં VIDEO પણ સામે આવ્યાં છે કે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કીવ અને અન્ય શહેરોમાંથી નીકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યાં હતાં.