ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે સંકેત આપ્યો કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ થનારી પહેલી એકદિવસ આંતરરાષ્ટ્રીય મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં શિખર ધવન અને લોકેશ રાહુલ બંનેને જગ્યા આપવા માટે બેટિંગ કરવા માટે નીચે આવી શકું છું.
શિખર ધવન અને કે.એલ.રાહુલ બંને રમી શકે છે: વિરાટ કોહલી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ આ બંનેને જગ્યા આપવા માટે હું નીચેના ક્રમે આવી શકું છું: વિરાટ કોહલી
વાઇસ કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં રમશે તે નક્કી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ માટે શિખર ધવન અને કે.એલ.રાહુલની પંસદગી કરવી મુશ્કેલ નિર્ણય રૂપ સાબિત થશે.
કેપ્ટન વિરાટ કોહલીને કોઇ એવું કારણ મળી નથી રહ્યુ કે, બંને ના રમી શકે. વિરાટ કોહલીએ મેચ પહેલા કહ્યુ કે, ''જોઇએ, તો ફોર્મમાં રહેનારો ખેલાડી ટીમ માટે હંમેશા સારો છે. જોકે તમે ઇચ્છો છો કે સારો ખિલાડી ટીમ માટે ઉપલબ્ધ રહે અને આ પંસદ કર્યા પછી તમે વિચારો છો કે ટીમનું બેલેન્સ કેવું હોવુ જોઇએ. સંભાવના છે કે, ત્રણેય (રોહિત, શિખર અને રાહુલ) રમી શકે છે.''
જ્યારે વિરાટને પૂછવામાં આવ્યુ કે, શું તે બેટિંગ ઓર્ડરમાં નીચે આવી શકે છે, તો કોહલીએ કહ્યુ કે, ''આ સંભાવના છે. આમ કરવાથી મને ઘણી ખુશી મળશે. મેં કોઇ ઓર્ડર મારા માટે નક્કી નથી કર્યો. હું ક્યાં બેટિંગ કરીશ તેણે લઇને હું અસુરક્ષિત નથી.''